રિલાયન્સ JIO 4જી ફોનની ડિલીવરી શરૂ થઈ ગઈ છે. કંપનીએ 15 દિવસમાં ફોન ડિલીવરી કરવાનો ટાર્ગેટ રાખ્યો છે. પહેલા ફોન રૂરલ અને અર્બન એરિયામાં ડિલીવર કરવામાં આવશે ત્યારબાદ મેટ્રો સિટીમાં ફોનની ડિલીવરી કરવામાં આવશે. જો તે પણ રિલાયન્સ જીયો 4જી ફીચર ફોન લીધો છે અને તમે એવુ વિચારી રહ્યા છો કે 3 વર્ષ બાદ રૂ. 1500 કંપની પાસે પાછા મળી જશે તો તેના માટે કંપનીએ કેટલીક શર્તો મુકી છે.
શું છે શરત?
- જેમાં યૂજરે દર વર્ષે ઓછામાં ઓછુ 1500 રૂપિયાનું રિચાર્જ કરાવવું જ પડશે તો જ 3 વર્ષ બાદ ફોન પાછો આપવાથી રૂ. 1500 પાછા મળશે મતલબ કે તમારે જીયો ફોનના રૂ. 1500 કંપની પાસેથી પાછા લેવા હોય તો તેના માટે તમારે ત્રણ વર્ષે રૂ. 4500નું રિચાર્જ કરાવવું પડશે. એટલે કે તમારે મહિને લગભગ રૂ. 125નું રિચાર્જ કરાવવું પડશે.
- ફોનની શર્તમાં લખ્યું છે કે જો તમે અગામી 3 વર્ષમાં જીયો ફોનમાં રૂ. 4500 કે તેનાથી વધારે રિચાર્જ કરાવશો તો તમારી પાસેથી લીધેલી રૂ. 1500ની સિક્યોરિટી મની તમને પાછી આપવામાં આવશ પરંતુ તેના માટે ફોન તમારે પાછો આપવો પડશે.
- ફોનમાં કોઈ પણ પ્રકારની ખરાબી ન થઈ હોવી જોઈએ તોજ ફોન પાછો લેવામાં આવશે.
- આ સિવાય પણ એક અધિકાર જીયોએ પોતાની પાસે રાખ્યો છે તે છે કે જો યૂજર એક વર્ષમાં રૂ. 1500નું ઓછામા ઓછુ રિચાર્જ ન કરાવે તો કંપની પાસે અધિકાર છે કે ફોન પાછો લઈ શકે છે.
રિટર્ન પોલિસી શું ?
- જો યૂજર જીયો ફોન 3 વર્ષ પહેલા પાછો આપવા માંગે છે તો જીયોએ આ મુદ્દે સ્પષ્ટતા કરી છે કે...
1 વર્ષ પહેલા ફોન પાછો આપો તો તેમણે GST અને અન્ય ટેક્ષ પણ આપવો પડશે. મતલબ કે યૂજર 1 વર્ષ પછી અને 2 વર્ષ પહેલા ફોન પાછો આપશે તો તેને કંપની રૂ. 1000 પાછા આપશે. રૂ. 500 GST અને અન્ય ટેક્ષના કપાઈ જશે. જો તમે 3 વર્ષ બાદ ફોન પાછો આપશો તો તમને રૂ. 1500 પૂરા પાછા મળી જશે.