અનિલ અંબાણી રિલાયન્સ ગ્રુપના ચેરમેન છે. ફોર્બ્સની લિસ્ટ અનુસાર અનિલ અંબાણી દુનિયાના સૌથી ધનિક વ્યકિતઓમાંથી એક છે. ગ્લેમરસ લાઇફ જીવતા અનિલ અંબાણીના ફેમિલીની ખૂબ જ ધાર્મિક પણ છે. પોતાના કામ અને ધર્મની વચ્ચે તે કોઇ પણ રીતે સમય નીકાળીને તેઓ મંદિર જઇને પૂજા કરે છે. માનવામાં આવે છે અનિલ અંબાણી કોઇ પણ મોટું કામ કરે તે પહેલા મંદિર જઇને દર્શન જરૂરથી કરી આવે છે. અનિલ અંબાણી હોય કે મુકેશ અંબાણી અંબાણી ફેમિલીના તમામ સભ્યો વ્યકિતગત રીતે જઇને પૂજા કરે છે. અનિલ અંબાણી અને મુકેશ અંબાણીનો પરિવાર માટે આ દેશનું કયા મંદિરમાં આસ્થા ધરાવે છે.
ઉદયપુર નજીક આવેલા નાથદ્વારા મંદિરમાં કોઈ પણ શુભ કાર્ય કરતા પહેલા અંબાણી પરિવાર દર્શન માટે જાય છે. આ મંદિરમાં અંબાણી પરિવાર લાખો રૂપિયાનું દાન પણ કરે છે. સાથે એવું પણ માનવામાં આવે છે કે અનિલ અંબાણીની માતા કોકિલાબેન અંબાણી આ મંદિરના ટ્રસ્ટના વાઈસ પ્રેસિડેન્ટ પણ છે. આ મંદિરમાં સામાન્ય દિવસોમાં પણ ભક્તોની ભીડ જોવા મળ છે. આ મંદિરની ભગવાન શ્રીનાથજીની સાથે સાથે ભગવાન કૃષ્ણનું બાળ રૂપ પણ છે. આ મંદિર રાજસ્થાનના ઉદયપુર શહેરથી 50 કિલોમીટરની દૂરી પર સ્થિત છે.
અંબાણી પરિવારનું મંદિરો સાથેનું કનેક્શન શાનદાર રહ્યુ છે. મુકેશ અંબાણી પોતાની પત્ની સાથે જન્મદિવસ પર પરિવાર સાથે બાબા વિશ્વનાથના દર્શન કરે છે. જ્યાં તેમણે બે લાખ રૂપિયાનું દાન કર્યું છે. આ ઉપરાંત શિરડી સાઈ મંદિરમાં અંબાણી પરિવારે 90 લાખની મેડિકલ મશીનરી દાન કરી છે. અનિલ અંબાણી પોતાની માતાની સાથએ અનેક મંદિરોમાં જઇ ચૂક્યા છે. ભગવાન વિષ્ણુના મંદિર બદ્રીનાથમાં તેમની વિશેષ આસ્થા છે અને રિલાયન્સ ગ્રુપના વિવાદ દરમિયાન ભગવાન વેંકેટેશ્વરના મંદિર તિરુમાલા ગયા હતા. કેટલાક લોકો માને છે કે આ મંદિરથી પરત ફર્યા પછી આ વિવાદ પૂરો થઇ ગયો હતો.