ફિલ્મ પદ્માવતીને લઇને સતત વધી રહેલા વિવાદોની વચ્ચે ફિલ્મની નિર્માતા કંપની વાયકૉમ18 એ ફિલ્મની રિલીઝને ટાળી દીધી છે. સૂત્રોનુસાર નિર્માતા કંપનીએ જાતે જ રિલીઝને ટાળવાનો નિર્ણય કર્યો છે. આની પહેલાં સેન્સર બોર્ડે પણ કેટલીક ટેકનિકલ કારણોસર ફિલ્મને ટાળી દીધી હતી. સાથો સાથ એ વાત પર નારાજગી વ્યક્ત કરી હતી કે ફિલ્મના ડિરેક્ટર સંજય લીલા ભણસાલીએ સેન્સર બોર્ડમાંથી ફિલ્મને પાસ થયા વગર જ કેટલાંક પસંદગીના પત્રકારને ફિલ્મ દેખાડી દીધી છે.
Viacom18 maker of #Padmavati says it has voluntarily #deferred film's release date.
રાજસ્થાન સહિતના કેટલાક અન્ય રાજ્યોમાં રાજપૂત સમાજના લોકોએ ફિલ્મનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવું છે ભણસાલીએ ફિલ્મમાં એતિહાસિક તથ્યોની સાથે છેડછાડ કરી છે. રાજપૂતના સંગઠનની કરણી સેનાએ તો ફિલ્મની લીડ એક્ટ્રેસ દીપિકા પાદુકોણની નાક કાપી નાખવાની ધમકી આપી છે. આ સિવાય ભણસાલીનું ગળું કાપવા પર પણ 10 કરોડની વાત કરી છે .બીજીબાજુ ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના કેટલાંય લોકો ફિલ્મના સમર્થનમાં પણ આવી ગયા હતા. આ ક્રમમાં ફિલ્મને લઇ થયેલા વિવાદનો વિરોધ કરવા માટે જાણીતા એકટર શબાના આઝમીએ કહ્યું હતું કે સંજય લીલા ભણસાલી અને તેની ફિલ્મ 'પદ્માવતી'ની એક્ટ્રેસ દીપિકા પાદુકોણની વિરૂદ્ધ ધમકીના વિરોધમાં ફિલ્મ જગતે ગોવામાં થનાર ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઓફ ઇન્ડિયાનો બહિષ્કાર કરવો જોઇએ.''
આ સિવાય ઇન્ડિયન ફિલ્મ એન્ડ ટેલિવિઝન ડાયરેક્ટર્સ એસોસીએશન (IFTDA)ના સંયોજકે કહ્યું હતું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝ અત્યારે ઘેરેબંદીમાં છે. અમને ધમકાવામાં આવી રહ્યા છે. ગુનેગાર ગણવામાં આવી રહ્યાં છે. અમને મારવામાં આવે છે અને અમારી સાથે દુર્વ્યવહાર થઇ રહ્યો છે. અમને લોકોને ધમકી મળી રહી છે કે અમે એ જ બનાવીશું જેવો તે (વિરોધ કરનારા) કહેશે. આ સંપૂર્ણપણે સાંસ્કૃતિક આતંકવાદ છે.''
આ પહેલા રાજસ્થાનના CM વસુંઘરા રાજેએ કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઇરાનીને પત્ર લખીને ફિલ્મની રિલીઝ ડેટ આગળ વધારવાની માંગ કરી હતી. CMએ તેની પાછળ રાજ્યની કાનૂન વ્યવસ્થા બગડવાની વાત કરી છે. ત્યારે યૂપીના સરકારે પણ તે કહેતા જ કેન્દ્ર સરકારને પત્ર લખ્યો કે ફિલ્મનો રિલીઝ થશે તો શાંતિનું વાતાવરણ નહી રહે.