તુરિયાનું શાક પચવામાં સરળ હોય છે એટલા માટે અસ્વસ્થ અને બીમાર લોકો માટે આ ખૂબ જ ફાયદાકારક હોય છે. તો ચલો જાણીએ એના ફાયદા માટે.
આ લોહી અને મૂત્ર બંનેમાં શર્કરાના સ્તરને ઓછો કરવામાં મદદ કરે છે. એટલા માટે આ ડાયાબિટીસના દર્દીઓ માટે ફાયદાકારક બની શકે છે. એક તુરિયામાં 95 ટકા પાણી અને માત્ર 25 ટકા કેલેરી હોય છે. જેનાથી વજન પણ વધતું નથી.
એમાં સંતૃપ્ત ચરબી અને કોલેસ્ટ્રોલ ખૂબ જ સીમિત માત્રામાં હોય છ જે વજન ઓછું કરવામાં મદદરૂપ થાય છે. એનું નિયમિત સેવન કરવાથી કબજિયાત થતી નથી અને પેટ પણ સાફ રહે છે. તુરિયા પિત્ત શ્વાસ સંબંધી રોગો તાવ ખાંસી અને પેટના કીડાને દૂર કરવામાં ફાયદાકાર છે. તુરિયામાં બીટા કેરોટીન મળી આવે છે જે આંખની રોશની વધારવામાં મદદરૂપ કરે છે. એનો પસ કમળાના રોગના ઉપચારમાં પણ ફાયદાકારક છે.
આ કરચલી ખીલ સોરાયસિસ અને અન્ય સ્કીન સંબંધી રોગોના ઉપચારમાં સહાયક હોય છે. રક્તપિત્તમાં પણ તુરિયાનો ઉપયોગ થાય છે. તુરિયાનું શાક ખાવાથી પ્રતિરક્ષા પ્રણાલી મજબૂત થાય છે. એનાથી લોહી તો શુદ્ધ થાય જ છે પરંતુ બવાસીર જેવા રોગોમાં પણ રાહત મળે છે.