ગુજરાતમાં કોંગ્રેસે છેલ્લા 25 વર્ષથી રાજ નથી જોયું સામાન્ય રીતે કોઇ પણ સરકાર બે ટર્મ પુરી કરે એટલે સરકારની સામે એન્ટીઇન્કમબન્સી આવી જાય પરંતુ ગુજરાતમા ભાજપ છેલ્લા 24 વર્ષથી રાજ કરી રહ્યું છે તેનું શું કારણ છે અને સામે પક્ષે વિપક્ષ કેમ નબળું પડી ગયું છે. તેના આ રહ્યા કારણો...
ગુજરાતમાં જ્યારથી નરેન્દ્ર મોદીની સરકાર આવ ી એટલે નરેન્દ્ર મોદીએ રાજનીતિમાં હીંદુ્ત્વના મુદ્દાની સાથે સાથે પાણીદાર નેતાઓની કદર કરવાનુ શરૂ કરી તેમને યથા સમયે ઉપયોગ કરવાનુ શરૂ કર્યું અની સાથે સાથે કોંગ્રેસના પાંચ નેતાઓના નબળા પ્રભુત્વનો લાભ પણ તેમણે ભરપૂર ઉઠાવ્યો. જો કે નરેન્દ્ર મોદી તો પોતાના દરેક સોગઠા ગોઠવીને કેન્દ્રમાં ભારે બહુમતી સાથેની સરકાર લાવ્યા પરંતુ ગુજરાતમાં મોદીના ગયા બાદ કોંગ્રેસની સરકાર આવશે તેવા એંધાણને પણ મોદીએ દિલ્લીમાં બેઠા બેઠા ધવન્સ કરી દીધા.
બીજી બાજુ કોંગ્રેસના પાંચ કહેવાતા નેતાઓ સતાની લાલસામાં અંદરો અંદર કાપવાની લડાઇ કરી જેના કારણે કોંગ્રેસ ગુજરાતમા ક્યારેય લોકોની પાર્ટી બની શકી નથી. કોંગ્રેસના કહેવાતા હાઇકમાન્ડ અહેમદ પટેલનો એક ગ્રુપ તો બીજી બાજુ શંકરસિંહ વાઘેલાનો એક ગ્રુપ એમ બંન્ને ગ્રુપ જ્યારે ચૂંટણી આવે ત્યારે સામ સામે આવી જાય અને તેનો લાભ ભરપુર રીતે ભાજપની સરકાર ઉઠાવે છે. કોંગ્રેસમાં ક્યારેય નાના અને વર્ષોથી કામ કરતા નેતાઓની કદર કરવામાં પાર્ટી ઉણૂી ઉતરી છે બીજી બાજુ હાઇકમાન્ડના સલાહકાર અહેમદભાઇ પટેલે પણ ક્યાકને ક્યાંક પોતાની સતા ગુજરાતમાં યથાવત રાખવા માટે પોતાના માનીતા લોકોને જ હોદ્દા પર બેસાડવાનુ ચાલુ ખતા સારા અને કર્મઠ કોંગ્રેસના કાર્યકરો વર્ષો સુધી લડવા અને જીતવા છતાં પણ તેઓની કદર ન થતા ક્યાંકને કયાંક તેઓ નારાજગી સાથે પાર્ટી સાથે છેડો ફાડી ભાજપને ફાયદો કરાવ્યો.
કોંગ્રેસમાં પ્રદેશ પ્રમુખ તરીકે સિધાર્થ પટેલ નિષ્ફળ ગયા તો એના સ્થાને અર્જુન મોઢવાડિયા ને કમાન સોંપવામાં આવી. જ્યારે મોઢવાડિયા પણ મોદીની લહેરમાં નિષ્ફળ ગયા તો એની જગ્યાએ ભરતસિંહને કમાન સોંપી દેવામાં આવી. વિપક્ષના નેતા તરીકે શકિતસિહ ગોહીલે જવાબદારી નીભાવ્યા બાદ પણ તેઓ ભાવનગરમાંથી હારી જતં તેમના માટે અબડાસાની ચૂંટણી લડાવી ફરીથી વિધાનસભામાં મોકલવામાં આવ્યા. અર્જુન મોઢવાડિયા પોતાના વતન પોરંબદરમાં ખરાબ રીતે હાર્યા હોવા છતાં અને તાલુકા અને જિલ્લા પંચાયતમાં પણ વર્ષો સુધી કોંગ્રેસને સતાથી દુર રાખવા છતાં પણ તેઓ હંમેશા ઉચ્ચ હોદ્દા પર બીરાજમાન રહ્યા છે.
ભરતસિંહ સોલંકી આંણદમાંથી હાર્યા હોવા ઉપરાંત એક પણ બેઠક આણંદની તેઓ વિધાનસભામાં પણ જીતાડી ન હોવા છતાં પણ અહેમદ પટેલના કહેવાથી તેમને પ્રદેશ પ્રમુખનો હોદ્દો આપી દેવામાં આવ્યો. ગુજરાતમાં કોંગ્રેસના પતન માટે છ નેતાઓ ક્યાકંને ક્યાંક જવાબદાર રહ્યા હોવાનુ પણ જનતામાં ચર્ચા છે. અહેમદ પટેલ ભરતસિંહ સોલંકી સિધાર્થ પટેલ અર્જુન મોઢવાડિયા શંકરસિંહ વાધેલા અને શકિંતસિંહ ગોહીલ. કારણ કે દરેક ચૂંટણી વખતે અહેમદ પટેલ અને વાઘેલા ગ્રુપ વચ્ચે ટિકીટ વહેંચણીની હરીફાઇ થતી અને તેમાં છેલ્લી ઘડીએ મેન઼્ડેટ બદલવામાં આવતા. ગાંધીનગરની ઉતર બેઠક પર નીશિત વ્યાસને અહેમદ પટેલના કહેવાથી ટીકિટ અપાઇ અને છેલ્લી ઘડીએ તેમને બદલવામાં આવી.બીજી બાજુ કોઇ પણ મોટા હોદ્દા પર કોંગ્રેસના કર્મઠ ધારાસભ્યોની અવગણના કરવામાં આવી છે.
રાઘવજી પટેલ જામનગરમાંથી ચૂંટણી જીત્યા અને તે પણ તત્ભાકાલીન ભાજપના પ્રેદશ પ્રમુખ આર.સી.ફળદુને હરાવીને કોંગ્રેસનો પંજો લહેરાવ્યો. તો તેને કોંગ્રેસ પાર્ટીમાં કોઇ પદ પણ ન અપાયું બીજી બાજુ પરેશ ધાનાણી કે જેઓ મંત્રી દિલીપ સંઘાણીને હરાવીને વિધાનસભામાં પહોંચ્યા તો તેમની પણ જોઇતી કદર ન થઇ. પુંજા વંશ કે જેઓને દર ચૂંટણીમાં ભાજપ તરફથી મંત્રી સુધીની ઓફર મળવાની વાતો વહેતી થવા છતાં તેઓ કોંગ્રેસને ન છોડી છતાં તેઓની જોઇતી કદર પાર્ટીએ ન કરી. વિઠ્ઠલ રાદડિયા અને જયેશ રાદડિયા પણ નરેન્દ્ર મોદીના વાવાઝોડામાં પણ બહુમતીથી ચૂંટાઇને આવ્યા હોવા છતાં પણ કોંગ્રેસ પાર્ટીના નેતાઓ પોતાના અહંમના કારણે નેતાઓને સાચવી ન શકયા.
ખંભાળીયા બેઠક પર આસાનીથી ચૂંટાઇ શકનાર પુનમ માડમની ટીકિટ કાપી નાખી વિક્રમ માડમના ઇશારે ખંભાળિયા અને જામનગર સંસદની પણ બેઠક કોંગ્રેસે ગુમાવી અને પુનમ માડમ ભાજપમાંથી ટીકિટ મેળવી ખંભાળીયા વિધાનસભા પણ 35 હજાર મતોથી જીત મેળવી અને ત્યાર બાદ લોકસભામાં પણ વિક્રમ માડમને હરાવીને જામનગર બેઠક પર જીત હાંસલ કરી એવા નેતાને પણ કોંગ્રેસ સાચવી ન શકી. આ સાથે કોંગ્રેસના કહેવાતા નેતાઓ હાઇકમાન્ડને પણ ઉંધુ ભણાવવામાં સફળ રહ્યા તો બીજી તરફ કોંગ્રેસના પતનનુ કારણ ઉંઘતું હાઇકમાન્ડ પણ છે. કે ગુજરાત કોંગ્રેસમાં દંગલ ચાલી રહ્યું હતું અને કોંગ્રેસના અધ્યક્ષ સોનીયા ગાંધી કે ઉપાધ્ય રાહુલ ગાંધીએ ગુજરાત મુલાકાત લેવાનુ તો ઠીક ગુજરાતના ધારાસભ્યો કે જેઓ સાચી હકીકત રજૂ કરવા માંગતા હતા તેમને મળવા સુધ્ધાનો પણ સમય ન આપી માત્ર કહેવાતા નેતાઓના ઇશારે જ હાઇકમાન્ડ ચાલી અને એનુ પરીણામ એ આવ્યું કે ભાજપને જોઇતું તું ને વૈધે બતાવ્યું તેવો હાલ થયો.
કોંગ્રેસના નારાજ નેતાઓને ભાજપે જરુર પડ્યે પ્રલોભનો પણ આપીને પોતાના પક્ષમાં લઇ લીધા. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ મહિનામાં એક વખત ગુજરાત આવી સમગ્ર ઓપરેશન પાર પાડી દીધુ એની સામે કોંગ્રેસ હાઇકમાન્ડ માત્ર 6 નેતાઓની વાતો સાંભળીને પોતાનુ હાથે કરીને પતન નોતર્યું. ગુરૂદાસ કામતની થીયરી પર ચાલવાને બદલે અશોક ગેહલોતની નીયુકતી કરિને કોંગ્રસે જાણે કે ભાજપને સામેથી લાડવો આપી દીધો હોય તેવો ઘાટ સર્જાયો. આજે કોંગ્રેસના દશથી વધુ ધારાસભ્યો ભાજપ પક્ષનો કમળ લેવાની તૈયારીમાં છે ત્યારે હેવે કોંગ્રેસના નેતાઓ માત્ર પત્રકાર પરીષદો યોજીને સંતોષ માને છે.