ભારતીય પૂજા પદ્ધતિમાં ધ્યાનને ખૂબ જ મહત્વનું ગણવામાં આવે છે. ભારતીય પૂજા પદ્ધતિમાં ધ્યાન એટલે કે મેડિટેશનને સૌથી વધુ અસરકાર અને મહત્વનું ગણવામાં આવ્યુ છે. એવું માનવામાં આવે છે કે ધ્યાનમાં ઊંડે ઊતરવાથી આત્માનો પરમાત્મા સાથે સાક્ષાત્કાર થાય છે. માણસનું મન અત્યંત ચંચળ છે. આ મનને બાંધવા માટે હિંદુ ધર્મ પદ્ધતિમાં ધ્યાન સાથે માળાનો જાપ કરવાનો નિયમ બનાવામાં આવ્યો છે. દરેક વ્યક્તિના ભાગ્યફળના અધ્યયન માટે કુલ 12 રાશિઓ નક્કી કરવામાં આવી છે. હવે 9 ગ્રહો અને 12 રાશિઓનો ગુણાકાર કરવામાં આવે તો સંખ્યા આવે છે તે છે 108. આ રીતે ભારતીય પંચાંગ 27 નક્ષત્રોની પણ ગણના કરે છે.
એવું મનાવામાં આવે છે કે માળાના મણકા ગણવાની સાથે જાપ કરવામાં આવે તો તેટલા સમય માટે મન આમતેમ ભટકતુ નથી. ધ્યાન કરવા માટે અનેક પ્રકારની માળા ઉપલબ્ધ છે અને દરેકમાં એક જ વાત સમાન છે તેમાં રહેલા દાણાની સંખ્યા. ધ્યાન કરવા માટે કોઈપણ માળા તમે લો તેમાં 108 મણકા અથવા દાણા કે મોતી હોય છે. ચલો તો જાણીએ આવું શા માટે હોય છે.
આપણા જ્ઞાની સાધુઓએ ધાર્મિક કાર્યોમાં ઉપયોગ કરનારી દરેક વસ્તુઓને અનંત વૈજ્ઞાનિક શોધ બાદ કેટલાક નિર્ણયો લીધા છે. પૂજાની દરેક વસ્તુ તેમાંથી નીકળતા તરંગો અને પ્રકૃતિ પર પડનારી તેની અસરને અનુસાર માન્ય થઈ છે. જાપની માળા માટે પ્રકૃતિના વિભિન્ન ગ્રહો નક્ષત્રો અને રાશિઓની ગણના કરીને જ મણકાની સંખ્યા નક્કી કરવામાં આવી છે. માળાના 108 મણકાની સંખ્યાનો આધાર આ ગણના છે-બ્રહ્માંડમાં નવગ્રહોને જ્યોતિષ ગણનામાં લેવામાં આવ્યુ છે.
દરેક નક્ષત્રના 4 ચરણ મનાય છે. હવે 27ને પણ 4 સાથે ગુણવામાં આવે તો સંખ્યા 108 જ આવે છે. તેનો અર્થ એ છે કે જ્યારે કોઈ સાધક માળા ફેરવી રહ્યો હોય તો તે પોતાના દરેક સ્પર્શથી બ્રહ્માંડના 9 ગ્રહો 12 રાશિઓ અને 27 નક્ષત્રોનો જાગૃત કરી રહ્યો હોય છે. આ કારણ છે કે નિયમિત રીતે પવિત્ર મનથી પૂરાં ધ્યાનથી માળા ફેરવવાથી તેના ચમત્કારી પરિણામો સામે આવે છે.