નવી દિલ્હીઃ સેના પ્રમુખ જનરલ બિપિન રાવતે ભારત અને ચીન સીમા મામલે સૂચન નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે ભારત-ચીન સીમા પર ડોકલામ જેવી કોઇપણ સ્થિતિને પહોચી વળવા માટે સેનાને તૈયાર રહેવું પડશે.
સેના પ્રમુખે વધુમાં જણાવ્યું કે દેશ પર આવનારા ખતરાને પહોંચી વળવા માટે એક પ્રતિરોધક બળ રૂપે માઉન્ટેન સ્ટ્રાઈક કોર તૈયાર કરવામાં આવી રહી છે. જનરલ બિપિન રાવતે જણાવ્યા પ્રમાણે આ ગઠનની પ્રક્રિયા સમય મુજબ ચાલી રહી છે. આ સૈન્ય દળને 17 કોર નામ આપવામાં આવ્યું છે.
પીએમ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં સુરક્ષા પર કેબિનેટની સમિતિએ 2014માં 17 કોરની રચનાને મંજૂરી આપી હતી. અત્યાર સુધી કોરના એક ડિવિઝન માટે લગભગ 25 હજાર સૈનિકોને તૈયાર કર્યા છે. જેનું વર્તમાન મુખ્યાલય રાંચીમાં સ્થિત છે. જ્યારે 72 ડિવિઝનનું ગઠન પૂરો થઈ જશે તો કોર પશ્ચિમ બંગાળના પાનગઢથી કામ કરશે.
રાવતે કહ્યું કે આતંકવાદીઓ સફાયો કરતા રહીશું. અને સોશિયલ મીડિયા પર કટ્ટરપંથના અભિયાનથી ભટકી ગયેલા યુવાનોને પાછા લઇને આવીશું.