જાણો SIT કોર્ટમાં અમિત શાહને શું સવાલ પૂછ્યા અને શું જવાબ મળ્યા... અમદાવાદઃ ગુજરાતમાં 2002માં થયેલ નરોડા ગામ રમખાણ મામલાને લઇ ભાજપ અધ્યક્ષ અમિત શાહ અમદાવાદની SIT કોર્ટ પહોંચ્યા. શાહે આ મામલમાં દોષીત ઠરેલ ગુજરાતના પૂર્વ મંત્રી માયા કોડનાનીની અપીલ પર હાજર થયા. શાહ કેસમાં સાક્ષી બન્યા. કોર્ટમાં અમિત શાહ પહોંચ્યા તો તેમને સવાલોના થર લાગ્યા.
વાંચો અમિત શાહ સાથે કોર્ટમાં શું સવાલ-જવાબ થયા...
સરકારી વકીલ: શું માયા કોડનાની ત્યાં હાજર હતા ?
અમિત શાહ: હા માયા કોડનાની વિધાનસભામાં હાજર હતા.
સરકારી વકીલઃ સોલા સિવિલ હોસ્પિટલ શા માટે ગયા હતા ?
અમિત શાહઃ મારા પર કેટલાક ફોન આવ્યા હતા જેના કારણે હું વિધાનસભાથી સોલા સિવિલ હોસ્પિટલ ગયો હતો 9:30થી 9:45 વચ્ચે સોલા સિવિલ પહોંચ્યો હતો.
સરકારી વકીલઃ ત્યારબાદ તમે ક્યાં ગયા હતા ?
અમિત શાહઃ જ્યાં પોસ્ટમોર્ટમ થયું ત્યાં ગયો હતો જ્યાં ડેડ બોડીની તપાસ થઇ રહી હતી ત્યાં ગયો હતો અને કાર્યકર્તાઓ સાથે મળ્યો હતો.
સરકારી વકીલઃ ત્યાં કેટલા લોકો હાજર હતી
અમિત શાહઃ માયા કોડનાની ત્યાં જ મળી હતી તે સમયે લોકોમાં બહુ આક્રોશ હતો.
સરકારી વકીલઃ માયાબેનને કેટલા સમય સુધી સિવિલ હોસ્પિટલમાં જોયા હતા ?
અમિત શાહઃ હોસ્પિટલની બહાર બહુ ભીડ હતી એટલા માટે પોલીસ મને ઘેરી પોતાની સાથે લઇ ગઇ હતી. મને અને માયાબેનને પોલીસ પોતાની જીપમાં બેસાડી ગાડી સુધી લઇ ગયા હતા.
સરકારી વકીલઃ સમય શું હતો ?
અમિત શાહઃ 11 થી 11.15 સવારે.
માયા કોડનાનીના વકીલે કર્યા સવાલ-જવાબ
માયા કોડનાનીના વકીલઃ શું આપ અને માયાબેન રાજકીય પાર્ટીમાં સાથે કામ કરતા હતા ?
અમિત શાહઃ હા
માયા કોડનાનીના વકીલઃ દરેકને વિધાનસભા માંથી નિકળવા માટે એક જ લિફ્ટ હતી ?
અમિત શાહઃ હા
માયા કોડનાનીના વકીલઃ વિધાનસભામાં એક જ પાર્કિંગ છે ?
અમિત શાહઃ મને ગાડી ચલાવતા નથી આવડતી એટલે હું પાર્કિંગમાં નથી ગયો
માયા કોડનાનીના વકીલઃ 28 ફેબ્રુઆરીએ વિધાનસભા કેટલો સમય ચાલી ?
અમિત શાહઃ 15 થી 20 મિનિટ
માયા કોડનાનીના વકીલઃ વિધાનસભા બાદ ક્યાં ગયા હતા ?
અમિત શાહઃ સીધો સોલા સિવિલ સવારે 9.30 કલાકે. આ સમયે માયાબેનને જોયા હતા પરંતુ સમય યાદ નથી.
માયા કોડનાનીના વકીલઃ લોકોમાં ગુસ્સો હોવાના કારણે પોલીસ આપને લઇ ગઇ હતી ?
અમિત શાહઃ પરત જતાં દરમિયાન પોલીસ મને કોર્ડન કરી પોતાની સાથે લઇ ગઇ હતી.
માયા કોડનાનીના વકીલઃ સોલા હોસ્પિટલથી ક્યાંથી ગયા હતા ?
અમિત શાહઃ યાદ નથી પરંતુ ગોતા સર્કલ ઉતર્યો હતો. પરંતુ માયાબેન પોલીસ જીપમાં હતી તે ત્યાંથી ક્યાં ગઇ હતી તે મને ખબર નથી હું સોલા સિવિલથી ઘરે ચાલ્યો ગયો હતો.
માયા કોડનાનીના વકીલઃ શું નરોડા ગામ ગયા હતા ?
અમિત શાહઃ નરોડા ગામ નથી ગયો હું પરંતુ કેટલીક વાર આ વિસ્તાર માંથી નિકળ્યો છું. વિધાનસભાથી નરોડા સુધીનું અંતર ખબર નથી.