સોનાની ખરીદી કરવાની વાત આવે એટલે દરેક મહિલા સૌથી વધુ ઉત્સાહ અનુભવતી હોય છે કારણકે નવા-નવા દાગીના થકી વટ પાડવાની આદત આજે ઘણેખરે અંશે જોવા મળે છે. પરતું જે લોકો સોનાનો ઉપયોગ માત્રને માત્ર રોકાણ કરવા માટે જ લે છે તો આ સમાચાર વાંચવા તમારા માટે ખુબ જ જરૂરી છે. સરકાર દ્વારા કાળાનાણાંને પકડવા માટે જે અભિયાન ચલાવવામા આવી રહ્યુ છે તેનો હિસ્સો હવે કદાચ સોનાને આવરી લેવામાં આવશે.
સુત્રોના જણાવ્યા મુજબ સોનાનો ઉપયોગ જે વ્યક્તિ રોકાણ કરવા માટે જ સોનાની ખરીદી કરે છે તે લોકો પર હવે કદાચ સરકાર નજર રાખશે તેવુ જાણવા મળ્યુ હતુ. ફાઇનાન્સિયલ રેગ્યુલેટર્સના પેનલે એક પ્રસ્તાવ મૂકયો છે કે સોનાની ખરીદ માટે પાન કાર્ડ ફરજીયાત કરી દેવામાં આવે. હાલ 2 લાખથી વધુની સોનાની ખરીદી પર જ પાન કાર્ડની જરૂર હોય છે. પેનલનો એ પણ પ્રસ્તાવ છે કે ટેક્સ ચોરીને રોકવા માટે રોજની કેશ લિમિટને પણ મંજૂરી આપી દેવામાં આવી. ચોરી છુપી થનાર ગોલ્ડ બિઝનેસને સામે લાવવા માટે કમિટીનો પ્રસ્તાવ છે કે દરેક ટ્રાન્ઝેકશનને ઇલેક્ટ્રોનિક રજીસ્ટ્રી દ્વારા રજીસ્ટર કરવામાં આવે.
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે ફાઇનાન્સિયલ સ્ટેબિલિટી એન્ડ ડેવલપમેન્ટ કાઉન્સિલની મીટિંગ બાદ કાઉન્સિલની તમામ કમિટીની ભલામણ પર ભારતમાં હાઉસહોલ્ડ ફાઇનાન્સના દરેક તબક્કાઓનો અભ્યાસ કરવા માટે આ પેનલની રચના કરાઇ હતી. આ પેનલની અધ્યક્ષતા લંડનના ઇમ્પીરિયલ કૉલેજમાં ફાઇનાન્સિયલ ઇકૉનોમિક્સના પ્રોફેસર તરૂણ રામાદુરાઇએ એ કરી. આ સિવાય આ પેનલમાં વિભિન્ન ફાઇનાન્સિયલ સેકટરના રેગ્યુલેટર્સ જેમકે - આરબીઆઈસેબી. આઇઆરડીએઆઇઅને પીએફઆરડીએના પ્રતિનિધિ પણ હાજર હતા.
તાજેતરમા થયેલ આ બેઠક બાદ કમિટીનું કહેવું છે કે બીજા દેશોની સરખામણીમાં ભારતમાં લોકો ઘરમાં વધુ સોનું રાખે છે. તેનું સૌથી મોટું કારણ ટેક્સથી બચવાનું છે જ્યારે આ ગોલ્ડને બેન્કમાં કે બીજી જગ્યાઓ પર રાખીને રિટર્ન મેળવી શકે છે. આ પ્રકારના ચલણ પ્રચલનને રોકવાનો પણ પ્રયાસ કરાશે.