નાની મુદ્રાને ચલણમાં લાવવા પર અને કાળાં નાણાં પર લગામ લગાવવા માટે રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયાએ ગત વર્ષે ચલણમાં આવેલી 2000 રૂપિયાની નોટોને લઇને મોટો નિર્ણય કર્યો છે. RBIનો આ નિર્ણય તમારું ટેન્શન વધારી શકે છે. RBIએ તમામ બેંકોને આ બાબતે નિર્દેશ જારી કરી દીધો છે. વાસ્તવમાં દેશભરમાં આગામી 3 મહિનામાં RBIની તરફથી માત્રજ 200 કે તેનાથી ઓછી કિંમતની નોટો જ મળશે.
RBIએ કેમ લીધો આ નિર્ણય:
RBIના આ નિર્ણય 2000 રૂપિયાની નોટની ઉણપ અને ATMમાં 2000 રૂપિયાથી ઓછી નોટ ન ચાલવાને કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે. RBIએ કહ્યુ કેહાલમાં ATMની નિર્ભરતા ઓછી કરવામાં આવશે અને બીજી તરફ નાની મુદ્રાના આવાવાથી કાળાં નાણાંમાં લગામ લગાવવામાં આવશે. હાલમાં ઉપલબ્ધ 2000ની નોટને ATM ફીડ કરવામાં આવશે. પરંતુ નાની મુદ્રાને ચલણમાં લાવવામાં આવશે.
2000 રૂપિયાની નોટની પ્રિન્ટિંગ બંધ:
RBIએ 2000 રૂપિયાની નોટની પ્રિન્ટિંગ બંધ કરી દીધું છે અને હાલના વિત્ત વર્ષમાં પ્રિન્ટિંગ નહી કરવામાં આવે. 2000 રૂપિયાના નોટોને લઇને સરકારની તરફથી સમસ સમય પર નિવેદનો આવતા હોય છે. આ વર્ષ એપ્રિલમાં સરકારે રાજ્યસભામાં જણાવ્યુ કે 2000 રૂપિયાની નોટોને બંધ કરવાની કોઇ યોજના નથી.
બેંક કાઉન્ટરમાંથી નહી મળે મોટી નોટ:
રિઝર્વ બેંક ઑફ ઇન્ડિયા 2000 અને 500 રૂપિયાની નવી નોટ આપવા માટે હાથ ઉપર કરી દીધા હતા. RBIએ તમામ બેંકોના નિર્દેશ આપ્યો છે કેશ કાઉન્ટરમાંથી કોઇ પણ ગ્રાહકો મોટી નોટ ન આપે. 2000 અને 500 રૂપિયાની નોટ માત્ર ATMમાંથી જ મળશે. તમને જણાવી દઇએ કેઅત્યારે 2000 અને 500 રૂપિયાની નોટની પ્રિન્ટિંગ નથી કરવામાં આવી રહી. આગામી 3 મહિના સુધી નવી નોટ આવવાની કોઇ આશા નથી. RBIએ હાલમાં બેંકોને મોટી નોટ કેશ કાઉન્ટરમાંથી નહી આપવાનું કહ્યુ છે.