રિઝર્વ બેંક 200 રૂપિયાની નોટોની સપ્લાઇ વધારી રહી છે અને તે માટે બેંકોને ATMમાં બદલાવ કરવા માટે કહ્યુ છે. આ મામલાના જાણકાર બે સૂત્રોએ માહિતી આપી છે. RBIના આદેશ પર અમલ માટે બેંકિંગ ઇન્ડસ્ટ્રીના 1000 કરોડ રૂપિયાથી વધારે રકમ ખર્ચ કરવો પડી શકે છે. બેંકો પર આ ભાર એવા સમયે આવ્યો છેજ્યારે તેઓ બેડ લોનથી ઘણાં પરેશાન છે.
આ આદેશથી વાકેફ એક બેંકરે નામ ન જાહેર કરવાની શરતે જણાવ્યું ''RBIએ બેકોને ATM મેન્યુફેક્ચરર્સને કહ્યું કે તે તેઓ જલદી 200 રૂપિયાની નોટ માટે ATMમાં બદલાવ કરે. અમે 2000 રૂપિયાની નોટની સાથે 200 રૂપિયાની નોટની પણ જરૂર છે.'' તેમણે કહ્યું કેઆ પ્રોજેક્ટને સંપૂર્ણ રીતે લાગુ કરવામાં 5-6 મહિના લાગી શકે છે. રિઝર્વ બેંકે આ ખબર માટે ઈમેલથી પૂછાયેલા સવાલના જવાબો આપ્યા.
નવેમ્બર 2016માં 500-1000 રૂપિયાની જૂની નોટોને અમાન્ય ધોષિત કરવામાં આવી હતી. સરકારે કહ્યુ કેકરપ્શનબ્લેકમની અને ટેરર ફન્ડિંગ રોકવા માટે આ ઉંચી વેલ્યૂવાળી નોટ પરત લેવામાં આવી હતી. જોકેતે પછી 2 000 રૂપિયાની નવી નોટ જાહેર કરી છે. તેને લઈને સરકાની ઘણીં નિંદા થઈ હતી. આ પછી 200 રૂપિયાની નવી નોટ લાવવાની ખબર સામે આવી. બેંકરોએ જણાવ્યું કે 2 000 રુપિયાની નોટના કારણે પાછલા એક વર્ષમાં ATMથી ઘણાં રુપિયા ઉપાડવામાં આવી રહ્યા છે. તેમણે જણાવ્યું કે RBI ATMથી ઉપાડવામાં આવેલા રુપિયાની રકમ નક્કી કરી શકે છે. સપ્ટેમ્બર 2017માં ATMથી કુલ 2.44 લાખ કરોડ રુપિયા ઉપાડવામાં આવ્યાજ્યારે સપ્ટેમ્બર 2016માં આ રકમ 2.22 લાખ કરોડ હતી.
8 નવેમ્બર 2016નાં નરેન્દ્ર મોદી સરકારે 500-1000 રૂપિયાની જૂની નોટો પર પ્રતિબંધ લગાવ્યા પછી કરન્સી સર્કુલેશનવાળા લેવલ પર પહોંચ્યવામાં આવ્યું છે. RBIના ડેટા મુજબહજુ તે 17 લાખ કરોડ રુપિયા છે. બેંક ATMમાં બદલાવ નથી કરવા માગતી. જોકેહવે તેના પર 1 000 કરોડ રુપિયા ખર્ચ કરવો પડશે. દેશમાં કુલ 2.2 લાખ ATM છે. 200 રુપિયાની નોટો માટે આ તમામમાં બદલાવ કરવામાં લગગ 6 મહિનાનો સમય લાગી શકે છે. ATM ઈન્ડસ્ટ્રીના દિગ્ગજ એલ એન્ટનીએ જણાવ્યું કે ATMમાં બદલાવની અત્યારથી શરુઆત કરવી પડશે.
હિટાચી પેમેન્ટ સર્વિસના MDએ જણાવ્યુ કે ''આ વખતે સંપૂર્ણ યોજના સાથે ATMમાં બદલાવ કરવામાં આવશે. પહેલા અમે ATM ક્લસ્ટરની ઓળખ કરીશું અને તે પછી તેમાં 200 રુપિયાની નોટ માટે બદલાવ કરવામાં આવશે. જો ઉતાવળમાં આ કામ કરવામાં આવે તો તેમાં કોસ્ટ અનુમાનથી વધુ થઈ જશે. જોકેઅમે સંપૂર્ણ યોજના સાથે આ કામ કરવા જઈ રહ્યા છીએ.''