RBI એ ડિજિટલ વૉલેટ (ઇ-વૉલેટ) અને પ્રીપેડ ઇન્સ્ટ્રૂમનેન્ટ યૂઝર્સની KYC વેરિફિકેશનની સમય મર્યાદા 2 મહિના સુધી વધારી દેવામાં આવી છે. હવે ડિજિટલ વૉલેટ પ્રોવાઇડર કંપનીએ ફેબ્રુઆરીના અંત સુધી પોતાના યૂઝર્સનું KYC વેરિફિકેશન કરી શકે છે. આ પહેલા ઓક્ટોબરમાં RBIએ 31 ડિસેમ્બર 2017 સુધી મિનિમમ યૂઝર્સનું KYC વેરિફિકેશન પૂરુ કરવાનો આદેશ આપ્યો હતો. સૂત્રોનુસાર ઇ-વૉલેટ યૂઝર્સની મોટી સંખ્યાના કારણે આ ડેડલાઇન લંબાવવામાં આવી છે.
RBI ના આ નિર્ણય પછી કંપનીઓને રાહત મળી છે. દેશની સૌથી મોટી સર્વિસ પ્રોવાઇડર Paytmના માત્ર એન્ડ્રોઇડ પર જ લગભગ 10 કરોડ યૂઝર્સ છે. Paytmના ફાઉન્ડરે અનુસાર Paytmના 5.2 કરોડ યૂઝર્સ KYCની પ્રક્રિયા પૂરી કરી ચૂક્યા છે. હવે Paytm OTP બેસ્ડ KYC લાવવા પર વિચાર કરી રહ્યુ છે.કંપની અનુસાર તેણે નક્કી કરેલા સમયમાં KYC ટાર્ગેટ પૂરા કરવા માટે મદદ મળશે.
KYC ટાર્ગેટનો પૂરા કરવામાં આવેલી મુશ્કેલીઓને કારણે પેમેન્ટ્સ કાઉન્સિલ ઑફ ઇન્ડિયએ RBIથી KYC વેરિફિકેશનની ડેડલાઇન વધારવાની માંગ કરી હતી. પેમેન્ટ કાઉન્સિલનું માનવું છે કે વેરિફિકેશનની ડેડલાઇન જો વધારવામાં નહી આવે તો યૂઝર્સના એકાઉન્ટ ફ્રિજ થવાનો ખતરો રહ્યો હતો જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે તમને જણાવી દઇએ કે દેશમાં અત્યાર Paytm સિવાય MobiKwik PayUMoney FreeCharge Jio Ola જેવી ઘણી કંપનીઓના ઇ-વૉલેટ્ય યૂઝર્સ માટે ઉપલબ્ધ છે.