ડિજિટલ ટ્રાન્જેક્શનને વધારો આપવાના ઉદ્દેશ્યથી ભારતીય રિઝર્વ બેન્કે ડેબિટ કાર્ડ ટ્રેન્ઝેક્શન પર બુધવારે ચાર્જમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. જે અંતર્ગત આવા કાર્ડના ટ્રાન્જેક્શન માટે અલગ-અલગ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ્સ નક્કી કરવામાં આવ્યા છે. કેન્દ્રિય બેન્કની હાલની નોટિફિકેશન અનુસાર 20 લાખ રૂપિયા સુધી વાર્ષિક કારોબાર કરનારા નાના મર્ચન્ટ માટે MDR ચાર્જ 0.40% કરી દીધો છે. જેમાં પ્રત્યેક ટ્રાન્જેક્શન પર ચાર્જની સીમા 200 રૂપિયા રહેશે. આ ચાર્જ ડેબિટ કાર્ડથી ઓનલાઈન અથવા POS દ્વારા લેણદેણ પર લાગૂ થશે.
ત્યારે QR કોડ આધારિત લેણદેણમાં ચુકવણી સ્વીકારવા પર ચાર્જ 0.30% રહેશે અને તેમાં પ્રત્યેક ડિલ પર 200 રૂપિયાના ચાર્જની સીમા નક્કી છે. જો કોઈ વેપારીનો વાર્ષિક કારોબાર 20 લાખ રૂપિયાથી વધારે છે તો MDR 0.90 % હશે. અને તેમાં પ્રત્યેક લેણદેણ પર 1 000 રૂપિયાનો ચાર્જ હશે. તેમાં QR કોડ દ્વારા લેવડ દેવડ પર ચાર્જ 0.80 અને મહત્તમ ચાર્જની રકમ 1000 રૂપિયા રહેશે.
MDR કોઈ ડેબિટ તેમજ ક્રેડિટ કાર્ડ સેવાઓ ઉપલબ્ધ કરાવવા માટે મર્ચટ એટલે કે વ્યપારિક એકમ પર લાગે છે. તેના અંતર્ગત કેન્દ્રિય બેન્કના કાર્ડ દ્વારા ચુકવણી સ્વીકારનારા વેપારી એકમોના નેટવર્કનો વિસ્તાર વધારવા માટે ચાર્જના દરોમાં ફેરફાર કર્યો છે. તેનું એક જ ટાર્ગેટ બેન્કોની રોકડ રહિત અથવા ઓછી રોકડ વાળી પ્રણાલીઓમાં રોકાણ કરવા પ્રોત્સાહિત કરવાનું છે.
આ પહેલા કેન્દ્રીય બેંકે બુધવારે મૌદ્રિક નીતિ સમિતિ (MPC)ના પ્રસ્તાવ સાથે આ વિશે વિકાસાત્મક અને નિયામકીય નીતિઓ પર નિવેદન જારી કર્યું. તેમાં કહેવામાં આવ્યું છે કે મર્ચેન્ટ એકમોના વિસ્તૃત નેટવર્ક પર સામાન તથા સેવાઓની ખરીદી માટે ડેબિટ કાર્ડથી ચુકવણીને વધારે જોર આપવાના ઉદ્દેશ્યથી મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માટે રૂપરેખા યુક્તિસંગત બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એમડીઆર ડેબિટ કાર્ડ દ્વારા લેવડ દેવડ પર મર્ચેન્ટની શ્રેણીના આધાર પર લાગૂ થાય છે.