મોરારિ બાપુના સિંહ સાથેના ફોટા વાયરલ થયા બાદ તેમની વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવા માટેની માગ કરવામાં આવી છે. તેવા માં ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાએ આ મુદ્દે ટ્વિટ કર્યું છે. રવિન્દ્ર જાડેજાએ ટ્વિટરમાં જણાવ્યું કે એક જ સરખું સ્થળ છે પરંતુ વ્યક્તિ અલગ છે.
હવે જોવું રહેશે કે હવે શું થાય છે ? મહત્વનું છે કે આ પૂર્વે રવિદ્ર જાડેજા પણ સિંહ સાથેના ફોટોગ્રાફને લઈને ચર્ચામાં આવ્યો હતો અને તેને 20 હજારનો દંડ ફટકારવામાં આવ્યો હતો.