અષાઢી બીજે એટલે કે 25 જુનના રોજ નિકળશે રથયાત્રા પણ તે પહેલા જગન્નાથજીની યોજાય છે જળયાત્રા અને આ જળયાત્રા આજે નીજ મંદીરથી સાબરમતી જવા રવાના થઈ ગઈ છે તો શું હોય છે જળયાત્રામાં અને શું છે તેનું મહત્વ જોઇએ આ અહેવાલમાં....
જળયાત્રા એ રથયાત્રાનો જ એક ભાગ છે જેમાં જગન્નાથ મંદિરેથી સાબરમતી નદીના કિનારે સોમનાથ ભૂદરના આરા સુધીની આ યાત્રા યોજાય છે. યાત્રા મા ભકતોની સાથે સાથે 1 હજારથી વધુ ભગવાનના મોસાળિયાઓ પણ જોડાય છે. જેઓ ભગવાનને મામા ના ઘરે લઈ જવા માટે આવે છે. સાબરમતી નદીના કિનારે આવેલા સોમનાથ ભૂદરના આરે જગન્નાથ મંદિરથી હાથી ધજા પતાકાધારી લોકો અને સંતો મહંતો શોભા યાત્રામા જોડાય છે. ત્યાં ગંગા પૂજનની વિધિ કરવામાં આવે છે.
જળયાત્રાની વિધીની વાત કરીએ તો વર્ષોથી થતી જળ યાત્રામાં ભૂદર નદીનાં આરે કરવામાં આવતી ગંગા પૂજનની વિધિ બાદ ત્યાંથી 108 કળશમાં ભરીને જળ લાવવામાં આવે છે અને તે જળથી અભિષેક કરીને મંદિરમાં બિરાજમાન પ્રતિમાઓનું ષોડ્ષોપચાર પૂજન વિધિ કરવામાં આવે છે જ્યારે આ યાત્રા માં 108 ઘડાનું મહત્વ એ છે કે જેમ માળાનાં મણકા 108 હોય છે અને તે મોક્ષ અપાવામાં જેમ મદદ રૂપ થાય છે તેવીજ રીતે આ યાત્રામાં પણ 108 જેટલા નાના મોટા ઘડા રાખવામાં આવે છે.
રથયાત્રા એક એવો અવસર છે કે જયારે ભગવાન દર્શન આપવા ભકતો સુધી આવે છે અને આ જ દિવસની ભકતોને આતુરતા હોય છે. ત્યારે જળયાત્રાથી રથયાત્રાની તબક્કાવાર વિધીઓ શરૂ થતી જાય છે.