સંજય લીલા ભણસાલીની ફિલ્મ પદ્માવતમાં શ્રેષ્ઠ અભિનય આપ્યા બાદ રણવીર સિંહે તેની ફીમાં વધારો કર્યો છે. અહેવાલો મુજબ રણવીર હવે એક ફિલ્મ માટે રૂ. 13 કરોડ ચાર્જ કરશે. દીપિકાએ તેના ફીમાં હાલ કોઈ વધારો કર્યો નથી.
પદ્માવત રણવીરની ફિલ્મ કારકિર્દીની સવધી શ્રેષ્ઠ ફિલ્મોમાંની એક છે. ખીલજીના નેગેટિવ રોલ ખુબ ચર્ચામાં છે. આવી પરિસ્થિતિમાં આગામી ફિલ્મો માટે રણવીરે તેમની ફીમાં વધારો કર્યો છે. પદ્માવત ફિલ્મ માટે દીપિકાને રણવીર અને શાહિદ બંને કરતાં વધુ ફી મળી હતી. આ વાતને દીપિકાએ નેહા ધૂપિયાના ટોક શો પર જણાવી હતી.
ખિલાજીની ભૂમિકા અંગે બોલતા અભિનેતાએ કહ્યું હતું કે ખિલજી જેવા લોકો ખૂબ જ પેશનેટ અને શૈતાન સ્વભાવના હોય છે. હું ઘણી ડિસ્ટર્બંઇંગ વસ્તુઓ જોડે શૂટિંગ કરી રહ્યો હતો એટલે રોલમાં ઢળવા માટે મને આ વસ્તુઓની વાસ્તવિકતા સમજવી ખુબ જરૂરી હતું.
પદ્માવતની શૂટિંગ પૂર્ણ થયા બાદ રણવીર હવે આગામી ફિલ્મ ગલી બોયની શૂટિંગમાં વ્યસ્ત છે. ગલી બોય 14 ફેબ્રુઆરી 2018ના રોજ રિલીઝ થવાની છે.