વાલ્મીકિએ રામાયણમાં 4 એવા લોકો જણાવ્યુ છે જેમનું અપમાન કરવું એ મહાપાપ છે. આ 4નું અપમાન કરનારા ગમે એટલી પૂજા-પાઠ અથવા તો દાન-ધર્મ કરે પરંતુ તેની સજા તો મળે જ છે. આ માટે જ ધ્યાન રાખો કે ભૂલથી પણ આ 4 લોકોનું ક્યારેય પણ અપમાન ન કરવું જોઇએ.
मातरं पितरं विप्रमाचार्य चावमन्यते।
स पश्यति फलं तस्य प्रेतराजवशं गतः।।
માતા:
માંને ભગવાનનો દરજ્જો આપવામાં આવે છે. કેટલાક ઘર્મ ગ્રંથોમાં માંનુ સમ્માન કરવાનું અને ભૂલથી પણ તેમનું અપમાન ન કરવાનું કહેવામાં આવ્યુ છે. માતાની સેવા કરનાર મનુષ્યને જીવનમાં તમામ સફળતા મળે છે. તેનાથી વિપરિત તેમનું અપમાન કરનાર મનુષ્ય ક્યારેય ખુશ નથી રહી શકતો. એવા મનુષ્ય પર ભગવાન પણ રિસાઇ જાય છે અને તેણે પોતાના કોઇ પણ પુણ્ય કર્મનું ફળ નથી મળતુ. આ માટે ધ્યાન રાખવું જોઇએ કે કોઇ પણ પરિસ્થિતિમાં માતાનું અપમાન ન કરવું જોઇએ.
પિતા:
દરેક મનુષ્યને પોતાના માતા-પિતામાં જ વિશ્વ દેખાવવું જોઇએ. જે વ્યકિત પોતાના પિતાનું સમ્માન નથી કરતો તેમની આજ્ઞાનું પાલન નથી કરતો તે પશુના સમાન હોય છે. માતા-પિતાનું અપમાન કરવું મનુષ્યનું સૌથી મોટો અવગુણ કહેવાય છે. આવું કરાર મનુષ્ય ગમે એટલી સફળતા મેળવે પરતું તે સમાજમાં માન-સમ્માન નથી મેળવી શકતો. આ માટે કોઇ પણ વ્યકિતે પોતાના પિતાનું અપમાન ક્યારેય ન કરવું જોઇએ.
પંડિત:
પંડિતને દેવતુલ્ય માનવામાં આવે છે. તેઓ દેવતાની સમાન જ પૂજનીય હોય છે. જ્ઞાની લોકોની સંગતથી લાભ થાય છે તમામ મુશ્કેલ પરિસ્થિતિના સમયમાં જ્ઞાની મનુષ્ય પોતાની સૂઝ-બૂઝ અને અનુભવથી નીકાળે છે. એવા લોકોનું ક્યારેય અપમાન ન કરવું જોઇએ. એવા લોકોનું અપમાન મહાપાપ કહેવામાં આવે છે તેના ઘણા દુષ્પરિણામ ભોગવવા પડી શકે છે. એટલે કે જ્ઞાની વ્યકિતઓનું હંમેશા સમ્માન કરવું જોઇએ.
ગુરુ:
શિક્ષા અને જ્ઞાન આપનારાને ગુરુ કહેવામાં આવે છે. ગુરુનો દરજ્જો સૌથી ઉંચો હોય છે તમામ ધર્મોના ગ્રંથોમાં ગુરુને સમ્માન કરવાની વાત કહેવામાં આવી છે. જે શિષ્ય પોતાના ગુરુનું સમ્મા ન નથી કરતો તેમને આપેલી શિક્ષાનું અનાદર કરે છે તેને ક્યારેય પણ સફળતા મળતી નથી. ગુરુનું અપમાન કરનારા લોકો ક્યારેય સમ્માન મળતું નથી. આ એક એવું મહાપાપ છે જેનું પ્રાયશ્ચિત કોઇ પણ રીતે ન કરી શકાય. આ માટે ક્યારેય પણ ગુરુઓનું અપમાન ન કરવું જોઇએ.