વડોદરાઃ ચૂંટણી પ્રચાર ધમધમી રહ્યો છે ત્યારે વડોદરામાં રામદાસ આઠવલેએ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કહ્યું કે નરેન્દ્ર મોદીએ નોટબંધીનો નિર્ણય લીધો. દેશના કાળા નાણાંને ખતમ કરવા માટે ડો.બાબા સાહેબ આંબેડકરે જ્યારે ઇકોનોમિક પર રિસર્ચ કરતા હતા ત્યારે તેમનું માનવું હતું કે દર 3 વર્ષે નોટ બંધી કરવી જોઈએ. ગુજરાતની જનતા નરેન્દ્ર મોદીના નેતૃત્વને ધ્યાનમાં લઇ ને 22 વર્ષથી સરકાર ચલાવી રહી છે.
રાહુલ ગાંધી નરેન્દ્ર મોદી પર આક્ષેપ કરે છે ત્યારે મારે રાહુલ ગાંધીને પૂછવું છે કે તમારી સરકાર વખતે કેમ વિકાસ થયો નહીં ? રાહુલ ગાંધી બેમુનિયાદ આક્ષેપ નરેન્દ્ર મોદી પર લગાવે છે. મણિશંકર ઐય્યરના નિવેદન જે નરેન્દ્ર મોદીને નીચ શબ્દનો પ્રયોગ કરીને ખોટું કર્યું છે. તેમણે જણાવ્યું કે દલિત સમાજના વોટ બીજેપીને મળશે.
ઉના કાંડનો પ્રચાર જીજ્ઞેશ મેવાણી કરી રહ્યો છે. કોંગ્રેસની સરકારમાં પણ દલિત પર અત્યાચાર થયો છે. મણીશંકરના નિવેદનની કોંગ્રેસને નુકસાન થશે. હાર્દિક અનમાતની માગ કરું રહી છે તો કોંગ્રેસ પાસે જવાથી અનમાત નહીં મળે. મહારાષ્ટ્રમાં પણ મરાઠા અનમાતની માંગ કરે છે રાજસ્થાનમાં પણ આંદોલન કરે છે રાજપૂત અને બ્રાહ્મણો પણ અનામતની માંગ કરી રહ્યાં છે.
હાર્દિક પટેલે અનમાત માટે મોદીજી અમિત શાહ અને વિજય રૂપાણીને મળવું જોઈએ. પાટીદાર સમાજ ભાજપની સાથે છે. તેવું રામદાસ આઠવલે એ જણાવ્યું હતું.