ગુજરાતમાં ભાજપે પ્રચાર કાર્ય ગતિમાન બનાવ્યું છે ત્યારે આજે કેન્દ્રીય મંત્રી રામ વિલાસ પાસવાન ચૂંટણી પ્રચારમાટે ગુજરાતમાં આવ્યા હતા. પાસવાને પ્રેસ કોન્ફરન્સમાં છબરડો વાળ્યો હતો.
સૌપ્રથમ તો કોન્ફરન્સ ચાલુ થતાં પહેલાંજ ગુજરાતમાં ચૂંટણીની તારીખની અંગેનું તેમનું અજ્ઞાન બહાર આવ્યું હતું. ગુજરતમાં ચૂંટણી પ્રચાર માટે નીકળેલા ભાજપના કેન્દ્રીય મંત્રીને ગુજરાતમાં કઈ તારીખે ચૂંટણી છે તેની જ ખબર ન હતી તે જાણીને સૌને આશ્ચર્ય થયું હતું.
રામ વિલાસ પાસવાને ચૂંટણી તારીખ બીજાને પૂછી હતી. એટલું જ નહીં ગુજરાતમાં ભાજપસરકારના શાસનકાળ અંગે પણ તેઓ અજાણ હતા તેમણે પોતાના સંબોધનમાં ગુજરાતમાં 15 વર્ષથી એનડીએની સરકાર હોવાનો ઉલ્લેખ કર્યો હતો જો કે પાછળથી પોતાની ભૂલ સુધારી લીધી હતી.
ચૂંટણીપ્રચાર માટે ગુજરાત આવેલા કેદ્રીય મંત્રી રામવિલાસ પાસવાને ઉનાના દલિકકાંડને નાની ઘટના તરીકે ઓળખાવી હતી અને સરકારનો બચાવ કર્યો હતો. સાથે જ તેમણે સરકારે આવી ઘટનામાં કડક પગલાં લીધા છે તેમ જણાવ્યું હતુ. જો કે તેમણે સ્પષ્ટતા પણ કરી હતી કે ઉનાકાંડ બાદ રજૂઆત માટે ગુજરાતના દલિતો મને મળવા આવ્યા હતા.