લખનૌઃ રામ મંદિર વિવાદને લઇને મધ્યસ્થતા કરી રહેલા આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકર આજે લખનઉમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે મુલાકાત કરવાના છે. મુખ્યમંત્રી સિવાય રવિશંકર ફિરંગી મહલીના સભ્યો સાથે મુલાકાત કરવાના છે. શ્રીશ્રી રવિશંકર આ મુદ્દાને લઇને અનેક લોકો સાથે વાતચીત કરી ચુક્યા છે. સીએમ યોગી સાથે મુલાકાત કર્યા બાદ અયોધ્યા પણ જવાના છે.
ઉલ્લેખનીય છે કે રામ મંદિર મામલાનો ઉકેલ લાવવામાં મદદ માટે અનેક પક્ષકારોએ આધ્યાત્મિક ગુરૂ શ્રી શ્રી રવિશંકરનો સંપર્ક કર્યો હતો. રવિશંકરે જણાવ્યું હતું કે આ મામલામાં મધ્યક્ષતા માટે તેઓ તૈયાર છે. રવિશંકરે કહ્યું હતું કે કેટલાક લોકો તેમની પાસે મળવા માટે આવ્યા હતા. તેમને જેઓ મળવા માટે આવ્યા હતા. તેઓ સકારાત્મક ઉર્જા સાથે આવ્યા હતા. અને તેઓ આ મામલાનો ઉકેલ લાવવા માગે છે. અને જો તેમને મધ્યસ્થ બનવાની જરૂર પડી તો તેઓ તૈયાર છે.
અયોધ્યા અને રામમંદિરના વિવાદના નિરાકરણ મામલે આર્ટ ઓફ લીવીંગ ફાઉન્ડેશનનાં સંસ્થાપક અને આધ્યાત્મિક ગુરૂ શ્રીશ્રી રવિશંકરએ આજે બેંગલુરૂ ખાતે શિયા વકફ બોર્ડના ચીફ વસીમ રિઝવીને મળ્યા હતાં. આ મુલાકાત બાદ વકફ બોર્ડના વડા રિઝવીએ જણાવ્યુ હતુ કે હું શ્રીશ્રી રવિશંકરનું સન્માન કરૂ છું. અને અમને આશા છે કે તેમની મધ્યસ્થીથી રામ મંદિર વાળો મામલો ચોક્કસ સુધરશે.
થોડા સમય પહેલા રવિશંકરને નિર્મોહી અખાડા અને ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડના કેટલાક સભ્ય મળ્યા હતા. અને તેમણે રવિશંકરને વિનંતી કરી છે કે તેઓ બન્ને સમુદાય વચ્ચે લાંબા સમયથી વિવાદનો વિષય બનેલા આ મામલાનો ઉકેલ લાવવામાં મધ્યક્ષતા કરે.