પાપનો ઘડો ભરાઈ જતા તેને ફૂટતા વાર નથી લાગતી.તેવી જ રીતે બલાત્કારી રામ રહીમના પાપનો ઘડો પણ ભરાઈ ગયો છે.. એક પછી એક નવા-નવા ખુલાસાઓ સામે આવી રહ્યા છે.રામ રહીમના પૂર્વ ડ્રાઈવર બાદ હવે પૂર્વ મેનેજનરી બહેને CBI સમક્ષ મોટો ઘટસ્ફોટ કર્યો છે.બાબાના રાક્ષસી કાંડને ઉજાગર કર્યું છે.
બલાત્કારી બાબા ગુરમીત રામ રહીમ જેલમાં જતાની સાથે જ તેની કર્મ કુંડળી ઉજાગર થઈ રહી છે.રોજ-રોજ બાબાના પરાક્રમો અને અત્યાચારોના પોટલાં ખુલીને સામે આવી રહ્યા છે. તેવામાં બલાત્કારી બાબાના પૂર્વ મેનેજર રંજીતની બહેને CBI સમક્ષ રામ રહીમના મોટા રા{નો પર્દાફાશ કર્યો છે.તે ખુદ્દ પણ ગુરમીત રામ રહીમની અનુયાઈ હતી.. અને તેના જ ડેરામાં રહેતી હતી.. એટલું જ નહીં પરંતુ નરાધમ બાબાએ 1999માં તેની સાથે પણ બે વખત બળાત્કાર ગુજાર્યો હતોઅને જેના ત્રણ વર્ષ બાદ જ તેના ભાઈ રંજીતની હત્યા કરાઈ હતી.
CBI ચાર્જશીટ પ્રમાણેપીડિતાએ જણાવ્યું કે 28-29 ઓગસ્ટ 1999ની રાત્રે રામ રહીમે મને ગુફામાં બોલાવી હતી.ગુફામાં માત્ર રામરહીમ એક જ હતોઅને ત્યાં પહોંચવા પર તેણે મને દરવાજો બંધ કરવા માટે કહ્યું હતું.જે બાદ દરવાજો બંધ કરીને નીચે બેસી ગઈ. રામ રહીમે મને પોતાના બેડ પર આવીને બેસવા કહ્યું હતું અને બાદમાં તેણે મારી ઉપર બે વખત બળાત્કાર ગુજાર્યો હતો.
CBI તપાસમાં પીડિતાએ બાબા અને તેની વચ્ચે થયેલી ઘટનાના ખુલાસા પણ કર્યા છે.. પીડિતાએ રામ રહીમને કહ્યું કેહું આપને ભગવાનની જેમ માની રહી છું.ત્યારે હવસ ખોર બાબાનો જવાબ હતો કેજો તુ મને ભગવાન જ માનતી હોય તો તારા પર મારો પૂરો અધિકાર છે.હું તને પવિત્ર બનાવી રહ્યો છું.
જે બાદ હેવાની હવસખોર બાબાએ તેની સાથે બળાત્કાર ગુજાર્યો.. જોકે આ ઘટના બાદ પીડિતાને જુના ડેરામાં શિફ્ટ કરી દેવામાં આવી હતી. જોકે ત્યાં પણ રામ રહીમની ગુફાઓ હતી. પીડિતાના જણાવ્યા પ્રમાણેતેની જેમ અનેક સાધ્વીઓ રામ રહીમનો ભોગ બની ચૂકી છે.અને અનેક સાધ્વિઓ તેને રાક્ષસ કહી ડેરામાંથી જતી રહી હતી.આમ રાક્ષસી અને બલાત્કારી રામ રહીમે અનેક સાધ્વીઓનું પોતાની હવસનો શિકાર બનાવી છે.. પરંતુ આખરે તેના પાપનો ઘડો ભરાઈ આવ્યો છે.જેથી એક બાદ એક નવા-નવા ખુલાસાઓ અને પુરાવાઓ CBIના હાથમાં આવી રહ્યા છે.. ત્યારે આગામી પણ બાબાના અનેક કાંડ પરથી મોટા ખુલાસાઓ સામે આવે તેવી શકયતાઓ છે.