દક્ષિણ આફ્રિકામાં સામે ટેસ્ટ સિરીઝ હાર્યા પછી ટીમ ઈન્ડિયાની સતત ટીકા થઈ રહી છે. ઇતિહાસકાર રામચંદ્ર ગુહા એક તરફ બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ના અધિકારીઓ પર નિશાન તાક્યો છે જ્યારે ટીમ ઇન્ડિયાના કપ્તાન વિરાટ કોહલી પર મોટો હુમલો કર્યો છે. તેમણે કહ્યું હતું કે બોર્ડના અધિકારી વિરાટ કોહલીની જેટલી પૂજા કરે છે એટલી તો દેશના કેબિનેટ મંત્રીઓ આપણા વડા પ્રધાન નરેન્દ્ર મોદીની પણ નહીં કરતા હોય.
ગૌહાએ પોતાના કોલમના આધારે આ આરોપો જાહેર કર્યાં છે. ગુહા ક્રિકેટના સંચાલનને જોવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા રચાયેલ કમિટી ઓફ એડમિનિસ્ટ્રેટર(સીઓએ) ના સભ્ય છે. તેમણે બીસીસીઆઈની મોટી સમસ્યાઓનો ઉલ્લેખ કરતા ચાર મહિનામાં જ પોસ્ટ છોડી દીધી હતી. ગુહાએ લખ્યું છે કે રવિ શાસ્ત્રી જેવા નબળા કોચ છે. અત્યારે ટીમ વિદેશી પ્રવાસ પર છે અને સત્ય દરેકની સામે દેખાય છે.'
ગુહાએ સીઓએના વડા વિનોદ રાય તેમજ સચિન તેંડુલકર સૌરવ ગાંગુલી અને વીવીએસ લક્ષ્મણની સલાહકાર સમિતિને બક્ષ્યા નથી. તેમણે લખ્યું "અનિલ કુંબલેને ભારતના કોચના પદથી હટાવીને રવિ શાસ્ત્રી જેવા સામાન્ય ક્રિકેટરને ટીમ ઇન્ડિયાના કોચ તરીકે નિમણૂક કરવામાં આવ્યા હતા. આ બધું કરવાનો ફક્ત એટલું કારણ છે કે આ લોકોએ વિરાટ કોહલીની સામે આત્મસમર્પણ કરી દીધું છે."
ગુહાએ લખ્યું 'શું આ બાબત ફ્યુચર ટૂર પ્રોગ્રામ (FTP) તૈયાર કરવાની હોય અથવા નેશનલ ક્રિકેટ એકેડેમી ચલાવવાનો નિર્ણય લેવાનો હોય તો વિરાટની રાય લેવામાં આવે છે. હાલમાં કોચિંગ સ્ટાફની પસંદગી સમિતિ અને સંચાલક બધા વિરાટ કોહલીનું સાંભળે છે.'
આ ટીકાઓમાં ગુહાએ વિરાટ કોહલીની પ્રશંસા પણ કરી છે. તેણે કહ્યું કે વિરાટ ચોક્કસપણે શ્રેષ્ઠ બેટ્સમેન છે પરંતુ તેમની ટીમ હારી રહી છે.