ભાઈ અને બહેનના પ્રેમનું પર્વ એટલે રક્ષાબંનધન.આ પર્વ શ્રાવણીપૂર્ણિમાના દિવસે ઉજવાય છે. બહેન પોતાના ભાઈના ઘરે જઈને અથવા ભાઈ બહેનના ઘરે રાખડી સ્વરુપે રક્ષા બંધાવે છે. આ દિવસે બહેનો શિવ અને ચંદ્રની પૂજા કરે છે અને તેમના ભાઈ લાંબા આયુષ્ય માટે પ્રાર્થના કરે છે.રક્ષબંધનના દિવસે બહેન પોતાના ભાઈ માટે પ્રાર્થના કરે તો ભાઈ માટે ખુબ ફાયદાકારક હોય છે
મેષ – આ રાશિ ધરાવતી બહેને ગણપતીને દાભ અને રાખડી અર્પણ કરવી જોઇએ. આમ કરવાથી ભાઇનો ક્રોધ દુર થાય છે અને સ્વભાવ સારો રહે છે. વૃષભ – વૃષભ રાશિ ધરાવતી બહેનોએ ભગવાન શિવના જળનો અભિષેક કરવો જોઇએ તથા રાખડી અર્પણ કરવી જોઇએ. આ બંન્ને વસ્તુનો શિવજીને ધરાવવાથી સંબંધ મજબુત બનશે. મિથુન - આ રાશિ ધરાવતી બહેને વહેલી સવારે ઉઠી સુર્યોદય સમયે સુર્યને જળ ચડાવવુ જોઈએ તથા દેવીને સિંધુર અને રાખડી અર્પણ કરવાથી દુર્ઘટનાથી ભાઇની રક્ષા થાય છે. કર્ક – વિઘ્નહૃતા ગણપતીને બિલીપત્ર અને રાખડી અર્પણ કરવાથી ભાઈના કરીયર સંબંધી તકલીફો દુર થાય છે. સિંહ – શિવને ચંદન અર્પણ કરવાથી ભાઇનુ સ્વાસ્થ્ય ઉત્તમ રહેશે તેને ક્યારેય કોઇ મોટી બિમારીનો સામનો કરવો પડતો નથી. કન્યા- હનુમાનજીને લાલ ફૂલ અને રાખડી અર્પણ કરવાથી ભાઈને ઇચ્છીત સફળતા મળશે. તુલા -આ રાશિ ધરાવતી બહેને ભગવાન શ્રી કૃષ્ણને માખણ અને મિસરીનો પ્રસાદ ધરાવવો જોઈએ। આમ કરવાથી ભાઈના વૈવાહિક જીવનમાં સુખ- સમરૂધ્ધી ભરપૂર રહે છે. વૃશ્ચિક - વૃશ્ચિક રાશિ ધરાવતી બહેને પીપળાના ઝાડને પાણી ચડાવી દીવો પ્રગટાવવો જોઈએ। અને પીપળને રક્ષાસૂત્ર બાંધવાથી ભાઈને સંતાન અંગેના પ્રશ્નોનું પણ નિરાકરણ આવે છે. ધનુ- આ રાશિ વાળી બહેને શિવજીને અત્તર અને પાણી ચઢાવવું જોઈએ ત્યારેબાદ રાખડી અર્પણ કરવાથી ભાઈ મોટી દુર્ઘટનાથી બચી જશે. મકર - મકર રાશિ ધરાવતી બહેનોએ ભગવાન કૃષ્ણને હળદરનું તિલક લગાવી રાખડી અર્પણ કરવી જોઈએ। આમ કરવાથી ભાઈની આર્થિક સમસ્યા દૂર થાય છે. કુંભ- હનુમાનજીને લાલફૂલ અને રક્ષાસૂત્ર અર્પણ કરવાથી ભાઈનું સ્વાસ્થ્ય સારું રહે છે. મીન- ભગવાન શિવને દહીં અને જળનો અભિષેક કરવાથી ભાઈ-બહેનનો પ્રેમ વધુ મજબૂત બનશે.