રક્ષા બંધનનો તહેવાર ભાઈઓ અને બહેનોના અતૂટ પ્રેમનુ પ્રતીક છે. આ તહેવાર ઓગસ્ટ 7 2017 ઉજવવામાં આવશે. આ રક્ષા બંધન ઘણી રીતે ખાસ હશે.શ્રાવણ માસની પૂર્ણિમાએ ખંડગ્રાસ ચંદ્રગ્રહણ છે અને આ વખતે આ ચંદ્રગ્રહણ ભારતમાં દેખાવાનું છે. 12 વર્ષ પછી તે એક સંયોગ છે કે રક્ષા બંધન એક ચંદ્રગ્રહણ દિવસ ધરાવે છે. ચંદ્રગ્રહણ સાથે ભદ્રાનો પણ યોગ છે આ સમયમાં કોઈ ધાર્મિક કાર્ય થઇ શકતું નથી.
રક્ષાબંનધનના દિવસે 11 વાગ્યે ને 4 મિનિટે ભદ્રાની અસર પૂર્ણ થયા બાદ જ બહેન ભાઈને રાખડી બાંધી શકશે. આ દિવસે ચંદ્રગ્રહણનો વેધ હોવાથી આશરે દોઢ કલાક જેટલો શુભ સમય રક્ષાસૂત્ર બાંધવા માટે છે ભદ્રાની અસરને લીધે પૂજા-પાઠવિધિ કે પછી અન્ય કોઈ ધાર્મિક કામ થઇ શકતું નથી. ભદ્રાની અસર પૂરાં થાય બાદ જ કોઈપણ ધાર્મિક કાર્ય કરવું જોઈએ તેવું જ્યોતિષીઓનું માનવું છે.
આ ઉપરાંત ચંદ્રગ્રહણ આ દિવસે રાત્રે 10 કલાકે 52 મિનિટ પર શરૂ થશે અને તેનુ સુતક બપોરે 1 વાગ્યેને 52 મીનીટથી શરૂ થઇ રાત્રે 12 વાગ્યેને 49 સુધી ચાલશે તેવુ પંડીતો દ્વારા જણાવવામા આવ્યુ છે.
જ્યોતિષાચાર્યોનું એવું પણ માનવું છે કે ચંદ્રગ્રહણ અને ભદ્રાકાળ પૂર્ણ થયા બાદ જ રક્ષાબંધનની ઉજવણી થાય તે વધુ યોગ્ય છે. ઉલ્લેખનીય છે કે 12 વર્ષ બાદ સર્જાયેલ ભદ્રાયોગને કારણે 7 ઓગસ્ટે રક્ષાબંધનની ઉજવણી 11 વાગ્યેને 4મિનિટ બાદ અને ચંદ્રગ્રહણના સૂતક શરુ થવાના પહેલાના સમયમાં રક્ષાબંનધન પર્વ મનાવવું વધુ લાભદાયી રહેશે.