સુરતઃ ગુજરાત કેડરના રાકેશ અસ્થાનાની CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂક કરવામાં આવી છે. કેબિનેટની નિમણૂક સમિતિએ દેશના 8 IPS ઓફિસરના પ્રમોશનને મંજૂરી આપી દીધી છે. જેમાં ગુજરાત કેડરના એડિશનલ ડાયરેક્ટર રાકેશ અસ્થાનાને CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર બનાવવામાં આવ્યા છે.
મહત્વનું છે કે રાકેશ અસ્થાના 1984 બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે. રાકેશ અસ્થાના વર્ષ 1992થી વર્ષ 2002ની વચ્ચે CBIમાં SPથી લઈને DIG પદ પર કામ કરી ચૂક્યા છે. આ દરમિયાન ઘાસચારા કૌભાંડ સહિત અનેક હાઈપ્રોફાઈલ કેસમાં તપાસ કરી ચૂક્યા છે.
કોણ છે રાકેશ અસ્થાના ?
1984ની બેચના ગુજરાત કેડરના IPS અધિકારી છે
1992થી 2002 સુધી CBIમાં બજાવી ચૂક્યા છે ફરજ
CBIમાં SPથી DIG પદ પર કરી ચૂક્યા છે કામ
ઘાસચારા કૌભાંડ સહિતના કેસમાં કરી ચૂક્યા છે તપાસ
રાકેશ અસ્થાના ગોધરા કાંડની પણ કરી ચૂક્યા છે તપાસ
અમદાવાદ ક્રાઈમબ્રાંચમાં JCP તરીકે બજાવી ચૂક્યા છે ફરજ
અમદાવાદના 2008ના બ્લાસ્ટ કેસની પણ સોંપાઈ હતી તપાસ
માત્ર 22 દિવસમાં જ બ્લાસ્ટ કેસને ઉકેલી નાખ્યો હતો
સુરતના પોલીસ કમિશનર પણ રહી ચૂક્યા છે રાકેશ અસ્થાના
આસારામ અને નારાણયસાઈ વિરુદ્ધ કરી ચૂક્યા છે તપાસ
અસ્થાના CBIમાં એડિશનલ ડાયરેક્ટર તરીકે બજાવતા હતા ફરજ
રાકેશ અસ્થાનાની CBIમાં સ્પેશિયલ ડાયરેક્ટર તરીકે નિમણૂક