ગાંધીનગરઃ ફિલ્મ પદ્માવતીમાં હિન્દુ સંસ્કૃતિને ખોટી રીતે દર્શાવવાની સાથે રાજપૂત સમાજને બદનામ કરવાનો પ્રયાસ હોવાના આક્ષેપ સાથે શ્રી રાજપૂત કરણી સેના દ્વારા ગાંધીનગરમાં મહાસંમેલનનું આયોજન કરાયું છે. સેકટર-11ના રામકથા મેદાનમાં મહાસંમેલન યોજાઇ રહ્યું છે. 1 લાખથી વધુ રાજપૂત સમાજના લોકો ઉપસ્થિત રહેશે.
ક્ષત્રિય સમાજની દિકરી રાણી પદ્માવતીના ચરિત્રને લાંછન લગાવતી આ ફિલ્મનો વિરોધ કરવા માટે રાજ્યભરમાંથી ક્ષત્રિય સમાજ એકત્ર થઇ રહ્યો છે. સમાજના ઇતિહાસને તોડી-મરોડીને રજૂ ન કરે તે માટે સમાજનો અવાજ બુલંદ કરવાની તેમાં માગ કરાશે.