રાજપીપળા ખાતે આદિવાસી મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે લાખોની સંખ્યામાં આદિવાસીઓ હાજર હતા. ત્યારે આ સંમેલનમાં ભાગ લેવા માટે આદિજાતિ મંત્રી ગણપત વસાવા આવી પણ પહોંચ્યા હતા. જોકે કાર્યક્રમમાં ભાગ લેવા પહોંચેલા મંત્રીને લોકોનો વિરોધનો સામનો કરવો પડયો હતો.
મળતી માહિતી અનુસાર આદિવાસી સમાજના લોકોએ વસાવાનો વિરોધ કરતા સૂત્રોચ્ચાર કર્યા હતા. વિરોધ થતાં ગણપત વસાવાને કાર્યક્રમ છોડીને નીકળી ગયા હતા. નારાજ લોકોએ વિરોધ કરવાની સાથે જ તેમની કારને પણ નિશાન બનાવી હતી. કાર પર પથ્થરમારો કર્યો હતો. આ પથ્થરમારાના કારણે કારના કાચ પણ તૂટી ગયા હતા.
જો કે આ બાબતે આદિવાસી લોકોનું કહેવું હતું કે આદિવાસીમાં ભરવાડ ચારણ અને સિદ્દી મુસલમાનોની જાતિઓને આદિવાસીઓમાં સમાવેશ કરીને ગણપત વસાવાએ આદિવાસી વિરોધી કામ કર્યું છે અને જેથી અમે વિરોધ કરી રહ્યા છીએ. જો કે આ બાબચે મીડિયાએ ગણપક વસાવાને પૂછતાં તેઓએ મીડિયાને કંઇ પણ કહેવાની ના પાડી માત્ર ચાલતી પકડી હતી.