નવી દિલ્હી: કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે જમ્મુ કાશ્મીરમાં વધી રહેલી આતંકી ગતિવિધિઓ પર સોમવારે સાંજે પોતાના ઘરે એક ઉચ્ચ સ્તરીય બેઠક બોલાવી છે. આ બેઠકમાં સુંજવાંના આર્મી કેમ્પમાં અને કરન નગરમાં સીઆરપીએફ હેડક્વાટર્સ પર થયેલા આતંકી હુમલાને ધ્યાનમાં લઇને બેઠક બોલાવી છે.
આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહે કરી અને એમાં ગૃહ સચિવ રાજીવ ગૌબા આઇબી ચીફ અને બીજા અન્ય ઓફિસર પણ હાજર હતા. છેલ્લા કેટલાક દિવસોમાં જમ્મુ કાશ્મીરમાં આતંકી ગતિવિધિઓમાં વધારો થતો જોવા મળ્યો છે.
આ વચ્ચે કેન્દ્રીય રક્ષામંત્રી નિર્મલા સીતારમન સુંજવાં આર્મી કેમ્પમાં પહોંચી ગયા છે. આ કેમ્પ પર આતંકીઓએ હુમલો કર્યો હતો. એ અહીંયા આર્મી હોસ્પિટલમાં પણ ગયા. જ્યાં તેઓ હુમલામાં ઘાયલ સૈનિકોને પણ મળ્યા.
ભારતના અશાંત રાજ્ય જમ્મુ કાશ્મીરમાં થઇ રહેલા આ હુમલાની ખાસ વાત એ છે કે અત્યાર સુધી આતંકી ગતિવિધિઓ રાજ્યમાં ઘાટીનો વિસ્તાર એટલે કે કાશ્મીરમાં જ જોવા મળતી હતી.