રાજકોટના રામેશ્વરમાં 3 મહિના પહેલા વૃદ્ધાએ આપધાત કર્યો હતો. ત્યારે હવે આ મામલે નવો વળાંક આવ્યો છે.
વૃદ્ધાના આપઘાત મામલાના હવે CCTV સામે આરોપીનો પર્દાફાશ થયો છે. CCTV સામે આવતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી છે. આ CCTVમાં પ્રોફેસર પુત્ર દ્વારા વૃદ્ધાને ફેંકવાનુ સામે આવ્યુ છે. સેવા ના કરવી પડે તે માટે પુત્રએ જ માતાનું કાસળ કાઢ્યું
મહત્વનુ છે કે વૃદ્ધા છેલ્લા ઘણા સમયથી બિમાર હતી. જેથી કંટાળીને પુત્રે આ પગલુ ભર્યુ હતુ. આ મામલે પોલીસ દ્વારા CCTV મેળવીને હત્યાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.