છેલ્લા ઘણા સમયથી રાજપૂતો દ્વારા પદ્માવતી ફિલ્મનો વિરોધ કરવામાં આવી રહ્યો છે ત્યારે હવે રાજકોટમાં પદ્માવતીનો વિરોધ કરવામાં આવ્યો છે. આ મામલે રાજકોટના ક્ષત્રિય સમાજના લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે. ત્યારે હવે રાજકોટની ધારેશ્વર લાલબહાદુર સહિતની 5 સોસાટીઓમાં ક્ષત્રિય સમાજ દ્વારા બેનરો લગાવવામાં આવ્યા છે કે જ્યાં સુધી પદ્માવતી ફિલ્મનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભાજપ અથવા કોંગ્રેસકે કોઈ પણ પાર્ટીઓ સોસાયટીમાં પ્રવેશ કરવો નહિ.
રાજકોટ પદ્યમાવતી ફિલ્મ ને લઇને દેશભરમાં વિરોધ થઇ રહ્યા છે. ત્યારે રાજકોટમાં ક્ષત્રિય સમાજ ફિલ્મના વિરોધને લઇને રસ્તા પર ઉતરી આવ્યો હતો અને ચક્કાજામ કર્યો હતો. બેનર સાથે આવેલા ક્ષત્રિય સમાજના લોકોએ જણાવ્યું હતું કે પદ્માવતી ફિલ્મનો ઉકેલ ન આવે ત્યાં સુધી ભાજપ કે કોંગ્રેસ અને અન્ય પક્ષોએ મત માંગવા આવવો નહીં.
તેમજ આ બનેરો સોસાયટીઓમાં લગાવવામાં આવ્યા હતા. ક્ષત્રિય સમાજ બેનરો સાથે રસ્તા પર ઉતરી આવી કર્યો ચક્કાજામ ફિલ્મ પર બેન લગાવવા માંગ સમસ્ત ધારેશ્વર સોસાયટી સત્યનારાયણ સોસાયટી લાલબહાદુર સોસાયટી રાધાકૃષ્ણ સોસાયટી સહિતની સોસાયટીઓના લોકો આજે સવારે પદ્માવતી ફિલ્મને લઇને રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમજ સરકાર વિરૂધ્ધ સૂત્રોચ્ચાર કરી ફિલ્મ પર બેન લગાવવા માંગ કરી હતી. આ બનેરો પોતાની સોસાયટીમાં લગાવતા રાજકીય વર્તૂળમાં ચર્ચાનો વિષય બન્યો છે.