રાજકોટ માર્કેટિંગ યાર્ડમાં કમિશન ને લઈને કમિશન એજન્ટોની હડતાલ હજુ યથાવત છે માર્કેટ યાર્ડમાં કમિશન એજન્ટ એસોસિયેશન દ્વારા તેમને આપવામાં આવતું કમિશન 1 ટકા થી વધારીને દોઢ ટકા કરી દેવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
જોકે યાર્ડ સંચાલકો એ કમિશન એજન્ટ એસોશિયેશન ની આ માંગ ને સ્વીકારી ન હતી જેને લઇ કમિશન એજન્ટ એસોસિયેશન દ્વારા અચોક્કસ મુદત ની હડતાલ પર ઉતરી આવ્યા છે.રાજકોટ યાર્ડ સહીત સૌરાષ્ટ્ર ના 7 માર્કેટ યાર્ડ કમિશન એજન્ટ એશોશીયેશન ની હડતાલ છે તો બીજી તરફ ગોંડલ અને જેતપુર સહીત 4 જેટલા માર્કેટ યાર્ડ માં પહેલેથીજ 1.50 ટકા કમિશન આપવામાં આવતું હડતાલ માં જોડાયા નથી.
માર્કેટયાર્ડ માં હડતાલ ને પગલે કરોડો નું નુકશાન થયું છે જેની સીધી અસર મજૂરો અને ખેડૂતો પાર જોવા મળી રહી છે. હાલ ખેડૂતોની વિવિધ જણસી યાર્ડમાં આવી છે જેને વેચવામાં ન આવે તો પાક બગડી જાય અને ખેડૂતોને મોટા પ્રમાણ માં નુકસાન જોવા મળે.