રાજકોટ: તહેવાર આવતાની સાથે જ રાજકોટમાં આરોગ્ય વિભાગે સપાટો બોલાવ્યો છે. જયાં શિવશક્તિ ગૃહઉધોગમાં આરોગ્યની ટીમે દરોડા પાડયા હતા. 1 હજાર 124 કિલો મિઠાઇનો નાશ કરવામાં આવ્યો હતો. અને આ મિઠાઇમાં કેમિકલ યુક્ત કલરનો ઉપયોગ કરાતો હતો. દરોડા હાથ ધરાતા બાકીના વિસ્તારમાં આવેલા ગૃહઉધોગના વેપારીઓમાં ફફઢાટ ફેલાઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે આવતીકાલથી નવરાત્રીનો શુભારંભ થઇ રહ્યો છે ત્યારે માતાજીને પ્રસાદ ધરાવવા લોકો મીઠાઇનો ઉપયોગ કરાતા હોય છે ત્યારે વેપારીઓ દ્વારા ખરાબ માવામાંથી મીઠાઇ બનાવી તે મીઠાઇ ગ્રાહકોને પધરાવી દેવાની પેરવીમાં હોય છે ત્યારે આવા વેપારીઓ પર તંત્રએ લાલ આંખ કરી હતી