થોડા દિવસો પહેલા ઓનલાઈન સાઈટ OLX પર રાજકોટમાં બનાવવામાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજનાના ક્વાટર્સ વેચવા માટે જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે હવે આ મામલે ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા તપાસ કરવાના આદેશ આપ્યા છે.
હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ-અલગ ટીમો બનાવીને રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં તપાસ કરવાનાં આદેશ આપવામાં આવ્યા છે.
મહત્વનુ છે કે હાઉસિંગ બોર્ડ દ્વારા અલગ અલગ સ્થળે ક્વાટર્સ બનાવવામાં આવ્યા છે. જેમા 1150 કવટર્સ રંગોલી પાર્ક અને 450 કવટર્સ સયાજી કૃષ્ણવર્મા પાસે બનાવાવામાં આવ્યા છે.