રાજકોટમાં સામૂહિક આપઘાત કેસમાં નવો વળાંક આવ્યો છે. માતા-પુત્ર-સાસુની હત્યા થઈ હોવાની પોલીસની આશંકા સેવાઇ રહી છે. પિતા-પુત્રએ હત્યા કરી હોવાની પોલીસ દ્વારા આશંકા સેવાઇ રહી છે. આ ઘટના બાબતે પોલીસે ત્રિપલ મર્ડરનો ગુન્હો દાખલ કર્યો હતો. બી-ડિવિઝન પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. શનિવારે રાત્રે બનાવ બન્યો હોવાનું સામે આવ્યું હતું. પોલીસ દ્વારા પિતા જીતેદ્ર અને પુત્ર અલ્પેશની અટકાયત કરવામાં આવી હતી.
રાજકોટમાં એક જ સ્થળ પરથી 3 મૃતદેહ મળી આવ્યાં હતાં. મોરબી રોડ પર માતા પુત્ર અને સાસુએ સામુહિક આપધાત કર્યો હતો. આર્થિક સંકડામણને કારણે આપઘાત કર્યો હતો. ઝેરી દવા પી આપઘાત કર્યો હતો. સોની પરિવાર ઇમિટેશનનો વ્યવસાય કરતો હતો. મોરબી રોડ પરના રાધા-મીરા પાર્ક પર આ ઘટના બની હતી.