રાજકોટમાં ભેળસેળ યુક્ત ધીનો ધંધો કરતા 2 શખ્સની ધરપકડ કરવામાં આવી છે. ઝડપાયેલા બન્ને શખ્સ જાણીતી અમૂલ બ્રાન્ડનું નકલી ઘી બનાવી ડબ્બા પાઉચમાં વેચતા હતા.
બન્ને શખ્સને રાજકોટ મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગે ઝડપી રૂપિયા 2.78 લાખનું નકલી ઘી જપ્ત કર્યું છે. બન્ને શખ્સ શહેરના કોઠારિયા રોડ પર રણુજા મંદિર પાસે આવેલી શિવધામ સોસાયટીમાં ડેરી ચલાવતા હતા.