ગુજરાતમાં સ્વાઈન ફ્લુ નો અજગર ભરડો આવ્યો છેપરંતુ સૌરાષ્ટ્રમાં રાજકોટ શહેર ડાર્ક ઝોન બની ગયેલું છે. રાજકોટમાં સિવિલ અને ખાનગી હોસ્પિટલમાં દર્દીનો મૃત્યઆંક 101એ પહોંચી ગયો છે. સ્થિતિ અત્યંત ચિંતાજનક બની ગઇ છે ત્યારે તંત્ર યુધ્ધના ધોરણે કામગીરી જરૂર કરી રહી છેપરંતુ કામગીરી અસરકારક નિવડતી નથી. પરિસ્થિતિ બેકાબૂ બન્યા પછી તંત્ર હવાતિયાં મારી રહ્યું તેવું ચિત્ર ઉપસી રહ્યું છે.
આજે રાજકોટ સિવિલમાં સ્વાઈન ફ્લુ વોર્ડમાં રાજકોટના ૬૩ વર્ષીય વૃધ્ધા અને જેતપુરના ૬૯ વર્ષીય વૃદ્ધના સ્વાઈન ફ્લુને લીધે મોત નીપજ્યા છે આજરોજ સ્વાઈન ફ્લુ ને લીધે બે દર્દીઓના મોત થતા આંકડો 112 પહોંચી ગયો છે .