મુંબઇ: મુંબઇના એલ્ફિન્સ્ટન સ્ટેશન પર થયેલી ઘટનાના વિરોધમાં મનસે સુપ્રીમો રાજ ઠાકરે 'મહારેલી' કરી રહ્યા છે. મેટ્રો થિયેટરથી લઇને ચર્ચગેટ સુધી જનારી આ મહારેલીને મુંબઇ પોલીસે હાલમાં મંજૂરી આપી નથી. તેમ છતાં મનસે નેતા અને કાર્યકર્તા ચર્ચગેટ સ્ટેશન તરફ આગળ જઇ રહ્યા છે. સ્થિતિ ના બગડે એના માટે પોલીસે કડક સુરક્ષા કરી છે.
રેલી પહેલા રાજ ઠાકરે રેલ્વે પર પ્રહારો કરતાં કહ્યું કે 'રેલવે ભાગદોડનું કારણ ભારે વરસાદ જણાવી રહી છે. પરંતુ શું મુંબઇમાં પહેલી વખત વરસાદ પડી રહ્યો છે. આ પહેલા પણ ભારે વરસાદ જોયો છે પરંતુ આવી રીતે કોઇની હાલાત થઇ નથી. રેલવે વરસાદનું બહાનું કરીને પોતાની લાપરવાહી છુપાવી રહી છે.'
તો બીજી બાજુ ભાજપ સાંસદ કિરીટ સોમૈયાને પણ રાજ ઠાકરે જોરદાર નિશાના પર લીધા એમણે કહ્યું કે 'જ્યારે કોંગ્રેસની સરકાર હતી કો કિરીટ સોમૈયા મુંબઇના રેલવે સ્ટેશનના સ્ટ્રક્ચરને ખોટું કહેતા હતા પરંતુ હવે જ્યારે પોતાની સરકાર આવી તો ગુમ થઇ ગયા. ભાગદોડમાં એટલા લોકો મર્યા પરંતુ એનાથી એમને કોઇ ફરક પડ્યો નહીં.