નવી દિલ્હી: દશેરા દિવાળી અને છઠ પૂજા તહેવાર માટે ભારતીય રેલ્વેએ કમર કસી લીધી છે. તહેવારની સિઝનમાં થનારી ભીડને જોતા રેલ્વે વિવિઘ રુટો પર સ્પેશિયલ ટ્રેન ચલાવશે. રેલ રાજ્ય મંત્રી મનોજ સિન્હાએ જાણકારી આપતાં કહ્યું છે કે આ વખતે તહેવારમાં 4000 સ્પેશિયલ ટ્રેન ચલાવવામાં આવશે.
એમણે આગળ જાણકારી આપતાં કહ્યું કે ગત વર્ષે રેલ્વેએ 3800 નવી ટ્રેનો ચલાવવામાં આવી હતી પરંતુ આ વખતે આ ટ્રેનોની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો છે.
આટલું જ નહીં એમણે એવું પણ કહ્યું કે રેલ્વે સ્ટેશન પર થનારી ભીડને જોઇને એવો પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે જો સ્ટેશન પર વધારે ભીડ થઇ જશે તો પ્લેટફોર્મ ટિકીટ આપવામાં આવશે નહીં. આ સાથે જ ફુટઓવર બ્રિજનો ઉપયોગ પણ ઓછો કરી દેવામાં આવશે.
તમને જણાવી દઇએ કે રેલ્વે 22 સપ્ટેમ્બરથી દુર્ગા પૂજા માટે પણ વિશેષ ટ્રેન ચલાવશે. ઉત્તર રેલ્વે 22 સપ્ટેમ્બરથી 3 નવેમ્બર સુધી યાત્રિીઓને વિશેષ સુવિધા આપશે.