લખનૌઃ અયોધ્યા જંકશન રેલવે સ્ટેશનનું પુનનિર્માણ અને અન્ય 210 કરોડની વિવિધ યોજનાઓનું રેલ રાજ્યમંત્રી મનોજ સિન્હાએ શિલાન્યાસ કર્યું.
આ સમયે મનોજ સિન્હાએ કહ્યું કે અયોધ્યામાં રેલ્વે સ્ટેશન રામ મંદિરની જેમ બનાવવામાં આવશે. અયોધ્યાનો એવી રીતે વિકાસ કરવામાં આવશે કે વિશ્વના કોઇપણ ખૂણામાંથી આવેલો વ્યક્તિ તેને ગર્વથી રામની જન્મભૂમિ કહેશે.
ત્યારે બીજી તરફ ભાજપ નેતા વિનય કટિયારે કહ્યું છે કે જ્યાં સુધી અયોધ્યામાં રેલ્વે સ્ટેશનનું પ્લેફોર્મ બનીને ત્યાર થશે. ત્યાં સુધી રામ મંદિરના નિર્માણની શરૂઆત થઇ ગઇ હશે.