નવી દિલ્હી : ભારતીય રેલ્વે ટુંકમાં જ લાંબા અંતરની 500થી વધારે ટ્રેનોને યાત્રા સમયથી ત્રણ કલાક સુધી ઘટાડશે. રેલ્વેનાં એક વરિષ્ઠ અધિકારીનાં જણાવ્યા અનુસાર નવી સમય સારણી નવેમ્બરમાં અપડેટ કરવામાં આવશે. રેલ્વે મંત્રી પીયૂષ ગોયલ પાસેથી મળેલા નિર્દેશો બાદ રેલ્વેએ નવીન સમયસારણી પર કામ ચાલુ કર્યું છે. જેનાં હેઠળ લોકપ્રિય ટ્રેનોનો યાત્રા સમય 15 મિનિટથી માંડીને ત્રણ કલાક સુધી ઘટી જશે.
નવી સમયસારણીમાં પ્રત્યેક રેલ્વે મંડળને સમારકામ સહિતનાં કામો માટે બેથી ચાર કલાક સુધીનો સમય આપવામાં આવશે. અધિકારીઓએ કહ્યું કે અમારી યોજના હાલનાં રોલિંગ સ્ટોકનો મહત્તમ ઉપયોગ કરવાનો છે. આ બે પદ્ધતીથી થઇ શકે છે જો અમારી પાસે એક એ ટ્રેન છે જો પરત ફરવા માટે ક્યાંય રાહ જોઇ રહી હોય તે અમે તેનો ઉપયોગ ઉભેલી હોય તે સમયમાં કરી શકીએ છીએ.
અધિકારીએ જણાવ્યું કે નવા ટાઇમ ટેબલ અનુસાર 50 ટ્રેનો એવી હશે જે એકથી ત્રણ કલાક સુધી ઘટી જશે. તે 500થી વધારે ટ્રેનો સુધી હશે. રેલ્વેએ એક આંતરિક ઓડિટ ચાલુ કર્યું છે જેમાં 50 મેલ અને એક્સપ્રેસ ટ્રેન સુપરફાસ્ટ સેવામાં બદલાઇ જશે. તેમણે કહ્યું કે હાલનાં ટ્રેનોનો સરેરાશ સ્પીડ વધારવા માટે રેલ્વે તંત્રને સજ્જ કરવાની કવાયતનો જ એક હિસ્સો છે.