ગાંધીનગરઃ ગુજરાત ચૂંટણીને અનુલક્ષીને રાહુલ ગાંધી દરરોજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ટ્વિટર પર એક સવાલ પૂછી રહ્યા છે. આજે રાહુલે મોદીને નવમો સવાલ કર્યો. તેમાં પીએમ પાસેથી ખેડૂતોની મુશ્કેલીઓને લઇને જવાબ માંગ્યો.
રાહુલે ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવેલા સવાલમાં આરોપ લગાવ્યો છે કે ખેતીને ગબ્બર સિંહ ટેકસનો માર વાગ્યો છે. ખેડૂતોના દેવાં પણ માફ નથી થઇ રહ્યા અને તેમને તેમના પાકના યોગ્ય ભાવ પણ નથી મળી રહ્યા. ખેડૂતો સાથે આવો પારકો વ્યવહાર કેમ કરવામાં આવી રહ્યો છે ?
ઉલ્લેખનીય છે કે ટૂંક સમયમાં જ કોંગ્રેસ અધ્યક્ષ બનવા જઇ રહેલાં રાહુલ ગાંધી હાલ ટ્વિટર પર પ્રધાનમંત્રી મોદીની વિરૂદ્ધ મોરચો માંડ્યો છે. કેન્દ્ર પર એક પછી એક પ્રહારો કરી સણસણતા પ્રશ્નો પૂછી રહ્યા છે. આજે ફરી રાહુલે પીએમને નવમો પ્રશ્ન પૂછયો છે.