ભાવનગરઃ બોટાદના ગઢડા સ્વામિનારાયણ મંદિરમાં રાહુલ ગાંધીએ દર્શન કર્યા હતા. જયાં સ્વામિનારાયણ મંદિરમાં રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું. ગઢડા સ્વામિનારાયણ સંપ્રદાયનું મુખ્ય સ્થાનક છે. જ્યાં તેઓએ ભગવાન સ્વામિનારાયણના દર્શન કરી પુજા-અર્ચના કરી હતી. રાહુલ ગાંધીનું મંદિરમાં પાઘડી પહેરાવી સ્વાગત્ કરવામાં આવ્યું હતું. સાફો પહેરાવી તિલક કરી રાહુલ ગાંધીનું સ્વાગત કરાયું હતું.
ઉલ્લેખનીય છે કે અમરેલીના ઢાસામાં રાહુલ ગાંધીએ જાહેરસભાને સંબોધી હતી. જયાં ભાજપ સરકારને આડેહાથ લીધી હતી. વધુમાં કહ્યું કે કોંગ્રેસની સરકાર આવશે તો 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરશે. રાહુલ ગાંધીએ ભાજપ પર પ્રહાર કરતા કહ્યું હતું કે શું ગુજરાતમાં ભ્રષ્ટાચાર નથી. ભ્રષ્ટાચાર વગર કોઈ કામ પુરૂ નથી થતુ. અમે ખોટા વચનો નથી આપતા. નર્મદાનુ પાણી ખેડૂતોને મળ્યુ નથી. કોંગ્રેસની સરકાર 10 દિવસમાં ખેડૂતોના દેવા માફ કરશે.
મહત્વનું છે કે લાઠીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર નોટબંધી જીએસટી અને આંદોલનના મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કીધુ કે નોટબંધીમાં ઉદ્યોગપતિઓ લાઇનમાં દેખાયા નહીં તેઓના કાળા નાણાં પાછલા બારણે સફેદ થઇ ગયા.