રાહુલ ગાંધી ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે આવ્યા છે. મધ્ય ગુજરાતનો પ્રવાસ કરી રહેલા રાહુલ ગાંધીનો જોરદાર પ્રતિસાદ મળ્યો છે. રાહુલે મહેમદાવાદમાં જનસભા સંબોધતા ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. રાહુલે કહ્યું કે 20 વર્ષથી ગુજરાતના દિલમાં જે છે તે કોઈ સાંભળતું નથી. પીએમ મોદી પર રાહુલ ગાંધીએ પ્રહાર કરતાં કહ્યું કે રાતોરાત નોટબંધી અને GST લાગુ કરી દીધું. જેના કારણે બેરોજગારી વધી ગઈ છે. જ્યારે નાના ઉદ્યોગો ઠપ થઈ ગયા છે. તો રાહુલે નડિયાદમાં પ્રસિદ્ધ સંતરામ મંદિરની મુલાકાત લીધી હતી. જ્યાં રાહુલ મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. આ સાથે રાહુલ નડિયાદમાં સરદાર પટેલના સ્મારક અને તેમના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. તો પેટલાદમાં રાહુલ ગાંધી પહોંચ્યા ત્યારે હજારોની સંખ્યામાં જન મેદની સ્વાગત માટે ઉમટી હતી. રોડ-રસ્તાઓ પર કીડિયારુ ઉભરાયું હોય તેમ લોકો ઉમટયા હતા. મધ્ય ગુજરાતમાં રાહુલ ગાંધીને ઠેર-ઠેર બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.
ગુજરાત પ્રવાસે રાહુલ ગાંધી
મધ્ય ગુજરાતમાં મળ્યો જોરદાર પ્રતિસાદ
ઠેર-ઠેર લોકોએ કર્યું સ્વાગત
રોડ-રસ્તા પર કીડિયારુ ઉભરાયું
સંતરામ મંદિરમાં કર્યા દર્શન
કોંગ્રેસ ઉપાધ્ય રાહુલ ગાંધી હાલ ગુજરાતના પ્રવાસે છે. રાહુલ ગાંધી હાલ પેટલાદ ખાતે પહોંચ્યા હતા. પેટલાદ ખાતે રાહુલ ગાંધીનું ભવ્ય રીતે સ્વાગત કરવામાં આવ્યું. રાહુલ ગાંધીના સ્વાગત માટે હજારોની સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી. રસ્તાઓ પર કીડીઓની જેમ લોકો ઉમટયા હતા. રાહુલ ગાંધીએ અહીં દલિત પરિવાર સાથે પણ સંવાદ કર્યો હતો. રાહુલગાંધીની રેલીમાં હજારો તેના ચાહકો પણ ઉમટયા હતા. અહીં રાહુલ ગાંધી બાળકો સાથે સંવાદ કરતા પણ જોવા મળ્યા હતા.. તો પગપાડા બાળકોની મુલાકાત પણ લીધી હતી.. મહત્વનું છે કે રાહુલ ગાંધીના સૌરાષ્ટ્ર પ્રવાસ દરમીયાન જે પ્રકારે ઉત્સાહ જોવા મળ્યો હતો. તે જ પ્રકારે પેટલાદમાં પણ લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
રેલીમાં માનવ મહેરામણ
લોકો સાથે સીધો સંવાદ
દલિત પરિવારની મુલાકાત
ગુજરાત પ્રવાસે આવેલા કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી દેદરડા ગામે પહોંચ્યા છે. રાહુલે દેદરડામાં દૂધ મંડળીની બહેનો સાથે સંવાદ કર્યો હતો. તો દૂધ મંડળીને બહેનોએ સંવાદ કર્યા બાદ રાહુલ ગાંધીના વખાણ કર્યા હતા. આ પ્રસંગે રાહુલ ગાંધીએ જણાવ્યું કે આણંદની મહિલાઓની કોઈ હરિફાઈ કરી શકે નહીં. ન્યૂઝિલેન્ડના દૂધ ઉત્પાદકોએ પણ માન્યું છે કે આણંદની મહિલાઓની કોઈ હરિફાઈ કરી શકે તેમ નથી.
રાહુલ ગાંધી દેદરડા ગામે પહોંચ્યા
દૂધ મંડળીની બહેનો સાથે કરી રહેયા છે સંવાદ
આણંદની દૂધ મંડળીની બહેનોએ રાહુલના કર્યા વખાણ
આણંદની મહીલાઓની હરિફાઈ થઈ શકે નહીઃ રાહુલ
"ન્યુઝિલેન્ડના દુધ ઉત્પાદકો કહે છે કે નહીં થઈ શકે હરિફાઈ"
રાહુલ ગાંધીએ નડિયાદ ખાતે સરદાર પટેલ સ્મારક અને તેમના જન્મ સ્થળની મુલાકાત લીધી હતી. સરદારની પટેલની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી શ્રંધ્ધાજંલિ અર્પિ હતી.