રાહુલ ગાંધી 2 દિવસના ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે. જેને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. રાહુલ 25 સપ્ટેમ્બરે દ્વારકામાં ભગવાન દ્વારકાધિશના દર્શન કરશે અને જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ લેશે અને દ્વારકાથી રોડ-શોની શરૂઆત કરશે તથા અનેક જગ્યાએ સભા કરી લોકોને સંબોધશે અને આગળ વધી જામનગરમાં રાહુલનો રોડ-શો પહોંચશે જ્યાં સાગર ખેડૂ સંમેલનમાં લોકોને સંબોધશે.
રાહુલનું જામનગર કોંગ્રેસ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવશે. રાહુલનો રોડ શો જામનગરના વિવિધ વિસ્તારોમાં ફરશે અને રાત્રે ચાંદી બજાર ખાતે સભામાં ફેરવાશે. સભા બાદ રાહુલનો 25 તારીખનો કાર્યક્રમ પૂર્ણ થશે. તો 26 સપ્ટેમ્બરની વાત કરીએ તો રાહુલ રોડના મારફતે અનેક લોકોનો સંપર્ક કરશે અને સાંજે રાહુલનો કાફલો ટંકારા જવા માટે રવાના થશે.
25 સપ્ટેમ્બરે રાહુલનો કાર્યક્રમ
દ્વારકામાં સવારે ભગવાનના દર્શન કરશે
દ્વારકામાં જગતગુરુ શંકરાચાર્યના આશીર્વાદ લેશે
જોતા માણેકની પ્રતિમાને ફુલહાર અર્પણ કરી રોડ શોનો પ્રારંભ
ભાટીયા ગામે મુખ્ય ચોકમાં જાહેર સભા
ખંભાળિયામાં જોધપુર નાકા વિસ્તારમાં વિશાળ સભા
રાહુલનું કોંગ્રેસી કાર્યકરો દ્વારા ઠેર ઠેર સ્વાગત કરાશે
સાંજે 5 કલાકે જામનગરમાં રોડ શોનો પ્રવેશ
જામનગરના વસઈમાં સાગર ખેડૂ સંમેલન
જામનગરના વિવિધ વિસ્તારોમાં રોડ શો ફરશે
રાત્રે 9.30 કલાકે ચાંદી બજાર ખાતે વિશાળ સભા
જામનગરના સર્કીટ હાઉસમાં રાત્રી રોકાણ
26 સપ્ટેમ્બરે રાહુલનો કાર્યક્રમ
જાનગરના ખીજડિયા પાટિયા પાસે લોક સંપર્ક
લોકસંપર્ક બાદ રામ પરનો પાટિયા અને ધ્રોલ તાલુકામાં સભા
દ્વારકાથી શરૂ કરેલો રોડ શો લતીપુર ખાતે પૂર્ણ થશે
લતીપુર કાર્યક્રમ પૂર્ણ કરી રાહુલ ટંકાર જવા માટે રવાના થશે