અમદાવાદઃ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાના પ્રચાર માટે પાર્ટીઓ દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે ફરી એક વખત કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી અમદાવાદના પ્રવાસે આવ્યા છે. રાહુલ ગાંધી જગન્નાથ મંદિરના દર્શન કરવા પહોંચ્યા છે. રાહુલ ગાંધી ભગવાન જગન્નાથના દર્શન કર્યા. રાહુલ ગાંધી અને ભરતસિંહે ભગવાનની આરતી ઉતારી. અશોક ગેહલોત પણ મંદિર પર હાજર. ત્યાર બાદ રાહુલ ગાંધી બપોરે પત્રકાર પરિષદ સંબોધી શકે છે.
ઉલ્લેખનીય છે કે પ્રધાનમંત્રી મોદી બીજા તબક્કાના મતદાન આડેની એક પળ પણ પ્રચારમાટે ચૂકવાના મૂડમાં નથી. આજે પીએમ ફરી વખત સાબરમતી નદીના નીર પર સી-પ્લેનથી ઉતરાણ કર્યું. સવારે 9.30 વાગ્યે સરદારબ્રિજ પાસે નદીના નીર પર સી-પ્લેન ઉતાર્યા હતા. ત્યાંથી કમલમ્ પહોંચ્યા હતા.
તેઓ સી-પ્લેનમાં બેસીને જ પીએમ મોદી ધરોઈ ડેમ જવા રવાના થશે. અને ધરોઈ ડેમનની સપાટી પર સી-પ્લેનનું ઉતરાણ કરાવશે. ત્યાંથી 11.30 વાગ્યે અંબાજી માતાના દર્શન કરવા જશે. દર્શન બાદ બપોરે 2.30 વાગ્યે ધરોઈથી સાબરમતી રિવરફ્રંટ પર પરત ફરશે.