સુરતઃ કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પોતાનો પ્રથમ દિવસનો ગુજરાત પ્રવાસ પૂર્ણ કરીને એકાએક ઉતર પ્રદેશના રાયબરેલી જવા માટે રવાના થયા છે. આ સાથે જ તેમણે કહ્યું કે તેઓ રાયબરેલીમાં બનેલી દુર્ઘટનાને લઇને લોકોના દુઃખમાં ભાગીદાર થવા જઇ રહ્યાં છે. અને રાયબરેલીથી બપોર બાદ પરત આવશે. અને ફરી નવસર્જન યાત્રામાં જોડાશે. રાહુલ ગાંધી NTPCમાં થયેલી દુર્ધટનામાં મૃત્યુ પામનારના પરિવારજનોને સાંત્વના પાઠવવા માટે રાહુલ ગાંધી રાયબરેલી જવા રવાના થયા છે. રાયબરેલી રાહુલ ગાંધીનો પરંપરાગત મત વિસ્તાર છે.
ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશની રાયબરેલીમાં એક મોટી દુર્ઘટના બની છે. અહીંના નેશનલ થર્મલ પાવર કોર્પોરેશન પ્લાન્ટમાં પાઇપ ફાટવાથી 20 મજૂરોના મોત થયા છે. ઉચાંહાર NTPCમાં 500 મેગાવોટના યુનિટ નંબર બેમાં બોઇલરની સ્ટીમ પાઇપ ફાટવાથી આ ઘટના બની હતી.
આ દુર્ઘટનામાં 100થી વધુ લોકો ગંભીર રીતે ઘવાયા છે. ઘાયલોને લખનઉની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે. ઘટના બની તે સમયે ત્યાં 200થી વધુ કામદારો કામ કરી રહ્યા હતા. સ્થાનિક અધિકારીઓના જણાવ્યા અનુસાર મૃતદેહ વધવાની આશંકા છે.