નવી દિલ્હીઃ કોંગ્રેસના નવ નિયુક્ત રાષ્ટ્રીય પ્રમુખ રાહુલ ગાંધી આજે વિધિવત પદભાર સંભળ્યો છે. સાથે જ 132 વર્ષ જૂની કોંગ્રેસને નવયુવાન પ્રમુખ મળ્યા. સાથે તેઓ ગાંધી કુટુંબમાંથી આવનારા 6 છઠ્ઠા પ્રમુખ બન્યા. પહેલા અમેઠીથી સાંસદ ત્યાર બાદ કોંગ્રેસના મહાસચિવ અને આખરે કોંગ્રેસના રાષ્ટ્ર પ્રમુખ સુધીની યાત્રાએ રાહુલ ખૂબ ઝડપથી પહોંચ્યા છે.
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીનુ સબોંધન આપ્યું હતું. તેમણે કહ્યું કે હુ 13 વર્ષ પહેલા રાજનીતિમાં આવ્યો હતો. રાજકારણ લોકોની સેવા માટે હોય છે. ભારતને કેટલાક લોકો ગરીબ રાખવા માંગે છે. આજે લોકોને દબાવવાની રાજનીતિ થઇ રહી છે. સાથોસાથ રાહુલ ગાંધી પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું કે મોદી દેશને પાછળ લઇ ગયા છે. ભાજપે પાર્ટી દેશમાં આગ લગાવાનુ કામ કર્યુ છે. ભાજપે સમાજને તોડવાનુ કામ કર્યુ છે.
રાહુલ ગાંધીની તાજપોશી પ્રસંગે સોનિયા ગાંધીએ સંબોધન આપ્યું હતું. તેમણે રાહુલ ગાંધીને અધ્યક્ષ પદની શુભેચ્છા આપી હતી. જ્યારે હુ અધ્યક્ષ બની ત્યારે મારામાં ડર હતો. ઇન્દિરા ગાંધીએ મને પુત્રી તરીકે અપનાવી હતી. હુ રાજનીતિથી દુર રહેવા ઇચ્છતી હતી. રાજીવ સાથે લગ્ન બાદ મારો રાજનીતિ સાથે પરિચય થયો.
ઉલ્લેખનીય છે કે રાષ્ટ્રીય પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની નિર્વિધ્ને પસંદગી થઈ હતી. તેમના માથે કોંગ્રેસને પુનર્જીવિત કરવાની જવાબદારી સાથે જૂની કોંગ્રેસી ઘરેડમાંથી હિંમતભેર બહાર નીકળવાના પડકારો પણ રહેલા છે. ત્યારે તમની તાજપોશીથી કોંગ્રેમાં નવી વિચારધારા ધરાવતા કાર્યકરોમાં આનંદ વ્યાપવા સાથે નવી આશાનો સંચાર થયો છે.
રાહુલ ગાંધીને રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ જાહેર કરાયા બાદ કાર્યકરોમાં વ્યાપેલા આનંદ ઓસરવાનું નામ લેતો નથી. ત્યારે આજે તેમની તાજપોશી થવાની હોઈ તેઓ પદભાર સંભાળવાના હોય દરેક કાર્યકરોમાં ઉત્સાહ અને આનંદ જોવા મળી રહ્યો છે. દિલ્લી સહિત સમગ્ર દેશમાં કોંગ્રેસી કાર્યકરોએ ફટાકડા અબીલ ગુલાલ અને ઢોલનગારા સાથે આનંદ મનાવ્યો હતો. કાર્યકરોએ મીઠાઈ વહેંચી રાહુલ ગાંધીની તાજાપોશીને વધાવી લીધી હતી.