અમરેલી: લાઠીમાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીએ સભા સંબોધી હતી. ગુજરાત પ્રવાસે આવેલા રાહુલ ગાંધીએ ફરી એકવાર નોટબંધી જીએસટી અને આંદોલનના મુદ્દે મોદી સરકાર પર પ્રહારો કર્યા હતા. રાહુલે કીધુ કે નોટબંધીમાં ઉદ્યોગપતિઓ લાઇનમાં દેખાયા નહીં તેઓના કાળા નાણાં પાછલા બારણે સફેદ થઇ ગયા.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે રાહુલ ગાંધીના પ્રવાસનો આજે બીજો દિવસે છે. ત્યારે હવે રાહુલ ગાંધીએ અમરેલીના વેપારીઓ અને કમિશન એજન્ટ સાથે બેઠક કરી હતી. આ બેઠક ખાનગી હોટલમાં કરવામાં આવી હતી.
આ ઉપરાંત રાહુલ ગાંધીએ મેડિકલ એગ્રો બિઝનેસ ટાયર એસોસિએશનના વેપારીઓ સાથે પણ ચર્ચા કરી હતી. આ દરમિયાન તેમણે નોટબંધી અને GSTના લીધે પડી રહેલી મુશ્કેલીઓ અંગે તેમણે ચર્ચા કરી હતી.