નવી દિલ્હી: કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતને લઇને એક બાદ એર સવાલ પૂછી રહ્યા છે. આ વખતે રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને મોદી સરકાર પાસેથી 13મો સવાલ પુછ્યો છે. આ સવાલમાં રાહુલ ગાંધીએ GPSC વિજળી મેટ્રો કૌભાંડનો ઉલ્લેખ કર્યો છે.
આ સવાલ કરતા રાહુલ ગાંધીએ કહ્યુ છે કે સરકાર કહેતી હતી જવાબદારી આપીશુ પરંતુ સરકાર દ્વારા લોકપાલને કેમ અધ્ધરતાલ કરવામાં આવ્યુછે. ત્યાર બાદ કૌભાડો વિશે કહ્યુ કે GPSC વિજળી મેટ્રો કૌભાંડ શાહ-જાદાના સમયે સરકાર દર વખતે કેમ ચુપ રહી છે અને માત્ર પોતાના મિત્રોના ખિસ્સા ભરવા માટે તત્પર છે.
આ ઉપરાંત તેમણે કહ્યુ છે કે ચુપ રહેલા સાહેબથી જવાબની માંગ કરવામાં આવી છે અને સરકાર કોના સારા દિવસો બનાવી શકી છે આ રાહુલ ગાંધીએ ટ્વીટ કર્યુ છે.