જામનગરઃ રાહુલ ગાંધી જ્યારે ગુજરાત પ્રવાસે છે ત્યારે તેઓ આજે પ્રવાસના બીજા દિવસે નવસર્જન યાત્રા જામનગરના ધ્રોલ ખાતે પહોંચી હતી. જ્યાં રાહુલ ગાંધીએ ગ્રામજનોને સંબોધન કર્યું. રાહુલ ગાંધીએ ગ્રામજનોને સંબોધતા ભાજપ સરકારને આડે હાથ લીધી. અને પાટીદારોને સમર્થન આપતાં કહ્યું કે ભાજપ સરકારે પાટીદારોને કચડી નાખ્યા છે.
પાટીદારો પર ગોળીઓ વરસાવવામાં આવી. જે પાટીદારોએ દેશને સરદાર આપ્યા તે પાટીદારો પર અત્યાચાર કરવામાં આવ્યો. સાથે જ રાહુલ ગાંધી મોદીનું ગુજરાત મોડેલ ફેલ ગયું હોવાનું પણ જણાવ્યું.